Ahmedabad: લાલ દરવાજા નજીક જુની જામા મસ્જિદની દીવાલ ધરાસાયી, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ માં આવે છે મસ્જિદ
અમદાવાદના ઐતિહાસિક લાલ દરવાજા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત અને પુરાતન જૂની જામા મસ્જિદની દીવાલ ભારે વરસાદના કારણે અચાનક ધરાસાઈ થઈ જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદ અને ભેજવાળા વાતાવરણના પરિણામે આ પ્રાચીન ઇમારતના માળખાને નુકસાન પહોંચ્યું હતું
Advertisement
Ahmedabad Jama Masjid Wall Collapse: અમદાવાદ (Ahmedabad) ના મધ્ય ભાગમાં આવેલા ઐતિહાસિક લાલ દરવાજા (Lal Darwaja) વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના જાણીતા અને ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારમાં આવેલી જૂની જામા મસ્જિદ (Jama Masjid Ahmedabad) ની દીવાલ ભારે વરસાદના (Heavy Rain) કારણે અચાનક ધરાસાઈ થઈ ગઈ છે. લાંબા સમયથી પડી રહેલા વરસાદના માહોલ વચ્ચે મસ્જિદની દીવાલનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી.

