Ahmedabad: રથયાત્રાને લઈ પોલીસ વિભાગ સજ્જ, દર્શન માટે કોઇ સમસ્યા ઉભી ન થાય તેવી વ્યવસ્થા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરક્ષાનું અભેદ કવચ તૈયાર કરી દેવાયું છે. પોલીસ દ્વારા 30,000 જવાનો અને 1,000 પેરામિલિટરી ફોર્સની તૈનાતી સાથે 3,700 CCTV અને 100 ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. AI ટેકનોલોજી દ્વારા ગુનેગારો પર નજર રાખવામાં આવશે.
Advertisement
Ahmedabad Rath Yatra Security: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. આ વર્ષે રથયાત્રાના રૂટ પર સુરક્ષાને લઈને અભેદ કિલ્લેબંધી કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની વિગતો જોતા, 10 DIG (Deputy Inspector General) કક્ષાના અધિકારીઓની સીધી આગેવાનીમાં આખું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. જેમાં 42 DCP, 93 ACP, 303 PI અને 673 PSI કક્ષાના અધિકારીઓ સતત રૂટ પર ખડેપગે રહેશે.

