Sanatan Culture Insult Row: સંસદમાં સનાતન સંસ્કૃતિના અપમાન સામે સંતો લાલઘૂમ, અમદાવાદમાં ઉગ્ર વિરોધ
સંસદ ભવનમાં ધાર્મિક પ્રતીકો અને સંસ્કૃતિને લઈને સર્જાયેલા વિવાદે હવે રાજ્યમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ધર્મગુરુઓ અને સંતોએ આ મામલે રાજકીય નેતાઓની ટીકા કરતા કાયદાકીય પગલાં અને કડક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય અને સામાજિક મોરચે ગરમાવો જોવા મળી શકે છે.જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપતિ અને સરકારને સંબોધી રજૂઆત કરાઈ છે.
Advertisement
Sanatan Culture Insult Row: સંસદ ભવનમાં સનાતન સંસ્કૃતિ અને ભગવા વસ્ત્રોના કથિત અપમાન મામલે ગુજરાતના મુખ્ય મથક અમદાવાદ ખાતે સનાતન સંત સમાજ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી આવેલા અગ્રણી સંતો અને મહંતોએ ભારે રોષ અને આક્રોશ વ્યક્ત કરતા સંસદમાં બનેલી ઘટનાને સનાતન સંસ્કૃતિ પર સીધો પ્રહાર ગણાવ્યો હતો. સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ સંસદમાં સંતોના વસ્ત્રો અને ધાર્મિક પ્રતીકોનું અપમાન ક્યારેય સહન કરી શકાય નહીં.

