Gujarat Farmer: ખેડૂતો પ્રત્યે રાજ્ય સરકારની સંવેદનશીલતા, જાહેરાતના માત્ર 24 કલાકમાં જ પરિપત્ર જાહેર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને વીજ ટાવર અને વીજ લાઈન માટે મળતા વળતરમાં મોટો વધારો કરીને તેને પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે ચૂકવવાનું નક્કી કરાયું છે.
Advertisement
Gujarat Farmer Compensation: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના આર્થિક હિતમાં એક અત્યંત મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યમાં વીજ ટાવર અને વીજ લાઇનના કારણે ખેડૂતોને જે વળતર મળતું હતું, તેમાં ધરખમ વધારો કરીને તેને હવે 'બજાર ભાવના બમણા દરે' ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની વિશેષતા એ છે કે માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ તેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે.

