Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Election: ગુજરાતમાં રદ થયેલી તાલુકા પંચાયતની બેઠકો પર પેટાચૂંટણી, 24 મેએ મતદાન

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવવાનો છે, કારણ કે જે બેઠકો પર ઉમેદવારોના નિધનને લીધે શોક છવાયો હતો અને લોકશાહીનો ઉત્સવ અટકી પડ્યો હતો, ત્યાં હવે નવા શિડ્યુલ સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે મહત્વપૂર્ણ જાહેરાત કરીને વિજયનગરથી બારડોલી સુધીની બેઠકો માટે આખું ટાઈમ ટેબલ તૈયાર કરી દીધું છે.
gujarat election  ગુજરાતમાં રદ થયેલી તાલુકા પંચાયતની બેઠકો પર પેટાચૂંટણી  24 મેએ મતદાન
Advertisement
  • Gujarat Election: ઉમેદવારોના અવસાનથી રદ થયેલી ચૂંટણીની નવી તારીખ જાહેર!
  • રાજ્ય ચૂંટણી આયોગે 24 મેના રોજ મતદાન યોજવાની કરી જાહેરાત
  • વિજયનગર, બારડોલી અને બાવળા તાલુકા પંચાયતની બેઠકો પર યોજાશે જંગ
  • 6 મેના રોજ સત્તાવાર નોટિફિકેશન અને 11 મે ફોર્મ ભરવાની અંતિમ તારીખ
  • ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નિધનથી ચૂંટણી પ્રક્રિયા થઈ હતી રદ
  • 26 મેના રોજ મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના નામ થશે જાહેર

Gujarat Election: રાજ્યમાં વિવિધ કારણોસર અને ખાસ કરીને ઉમેદવારોના અકાળે અવસાનને કારણે રદ થયેલી તાલુકા પંચાયતની બેઠકો પર હવે ફરીથી ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ મુજબ આગામી 24 મેના રોજ મતદાન (Voting) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Gujarat Election: ફરીથી યોજવામાં આવશે ચૂંટણી

વિગતો મુજબ, વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર (BJP Candidate) લીનાબેન નીનામાનું અવસાન થતા ત્યાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. તેવી જ રીતે, બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) ધર્મેશ રાઠોડ અને બાવળા તાલુકા પંચાયતની દહેગામડા બેઠક પર ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીના નિધનથી ચૂંટણી રદ થઈ હતી

Advertisement

Advertisement

ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 મે

ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, 6 મેના રોજ ચૂંટણીનું નોટિફિકેશન (Official Notification) બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 મે રહેશે, જ્યારે 12 મેના રોજ ફોર્મની ચકાસણી (Scrutiny of Nomination) થશે. જે ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તેમના માટે 13 મે છેલ્લી તારીખ રહેશે. અંતે, 24 મેના રોજ સવારથી મતદાન યોજાશે અને 26 મેના રોજ મતગણતરી (Counting of Votes) હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેજ થયો છે અને પક્ષોએ ફરીથી પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો; Ahmedabad: મેઘાણીનગરમાં બુટલેગરના આતંકથી યુવકે જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

Tags :
Advertisement

.

×