Haryana Panchkula : સરકારી તિજોરીને માત્ર 108 રૂપિયાના નુકસાનથી શરૂ થયેલો આ વિવાદ આખરે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 36 વર્ષ પછી સમાપ્ત થયો છે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચાલેલી કાનૂની લડાઈમાં, હાઈકોર્ટે હરિયાણા રોડવેઝના કંડક્ટરને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, અને ખાતાકીય કાર્યવાહીને સમર્થન આપ્યું હતું.
Haryana Panchkula, અનાધિકૃત મુસાફરોને મંજૂરી આપી
આ કેસ હરિયાણા રોડવેઝ, જીંદના તત્કાલીન કંડક્ટર રામ કુમાર સાથે સંબંધિત છે. 1989 માં એક વિભાગીય તપાસ દરમિયાન, એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમણે કેટલાક અનાધિકૃત મુસાફરોને મછરૌલીથી સિવાહ સુધીની બસમાં મુસાફરી કરવાની મંજૂરી આપી હતી, જેના કારણે સરકારને 108 રૂપિયાનું નુકસાન થયું હતું.
Haryana Panchkula, પગાર બંધ કરાયો
પાછળથી, બીજી તપાસમાં, બસમાં ટિકિટ વિનાના મુસાફર મળી આવવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યા હતા. આ ઘટનાઓને ગંભીર ગણીને, વિભાગે કંડક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી હતી. વિભાગીય તપાસ પૂર્ણ થયા પછી, માર્ચ 1990 માં રામ કુમારનો એક વાર્ષિક પગાર વધારો સંચિત અસરથી બંધ કરવામાં આવ્યો હતો.
કોઈ રાહત મળી નહતી
આ ઉપરાંત, સસ્પેન્શન સમયગાળા માટે પગાર અને ભથ્થાં પણ કાપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પડકારતા, કંડક્ટરે પહેલા વિભાગીય અપીલ દાખલ કરી હતી, પરંતુ ત્યાંથી તેને કોઈ રાહત મળી નહતી. આ પછી મામલો સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો.
પૂરતી તક આપવામાં આવી નહતી
1996 માં જીંદની ટ્રાયલ કોર્ટે કંડક્ટરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં વિભાગીય દંડ રદ કરવામાં આવ્યો હતો. કોર્ટનો મત હતો કે, તપાસ રિપોર્ટ કર્મચારીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નહતો, અને તેને પૂરતી તક આપવામાં આવી નહતી. જો કે, રાજ્ય સરકારે આ નિર્ણયને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ પડકાર્યો હતો, જેમણે 1999 માં ટ્રાયલ કોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો હતો અને વિભાગીય કાર્યવાહીને માન્ય રાખી હતી.
સુનાવણી હાઇકોર્ટમાં ચાલુ રહી
આ પછી શરૂ થયેલી બીજી અપીલની સુનાવણી વર્ષો સુધી હાઇકોર્ટમાં ચાલુ રહી હતી. હવે, અંતિમ ચુકાદો આપતી વખતે, જસ્ટિસ સુદિપ્તિ શર્માએ કહ્યું કે, રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, તપાસ રિપોર્ટ અને કારણ બતાવો નોટિસ બંને કર્મચારીને આપવામાં આવી હતી. તેમણે નોટિસનો જવાબ પણ આપ્યો હતો, તેથી એવું કહી શકાય નહીં કે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું હતું.
કાર્યવાહી ગેરકાયદેસર ગણી શકાય નહીં
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ નોંધ્યું હતું કે, વિભાગીય અપીલ દરમિયાન, રામ કુમારે પોતે સ્વીકાર્યું હતું કે, નિરીક્ષણ સમયે, બસમાં 70 મુસાફરો હતા, જે નિર્ધારિત સંખ્યા કરતા 18 વધુ હતા. આવી સ્થિતિમાં, વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદેસર ગણી શકાય નહીં. કોર્ટે અપીલ ફગાવી દીધી હતી, અને જીંદના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
આ પણ વાંચો - West Bengal Political Crisis : મમતા બેનર્જી સામે બળવો કરનારા 19 સાંસદનું લિસ્ટ આવ્યું સામે, જાણો કોના નામનો છે સમાવેશ?