Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Valsad : કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન, ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરુ કરાયો

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે.
valsad   કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન  ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરુ કરાયો
Advertisement
  • વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાની
  • તંત્રની 16 ટીમો દ્વારા 80 ટકા સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી
  • કમોસમી વરસાદને લઈને કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી
  • કેરીમાં અંદાજિત 7000થી વધુ હેક્ટરમાં નુકસાન સામે આવ્યું

છેલ્લા ચાર દિવસથી વલસાડમાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. તંત્રની 16 ટીમો દ્વારા 80 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદને લઈ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. કેરીમાં અંદાજિત 7000 થી વધુ હેક્ટરમાં નુકસાન સામે આવ્યું છે. શેરડી, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં પણ ભારે નુકસાન થયું છે. 15 થી 20 હેક્ટરમાં નુકસાન થયું હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગે રિપોર્ટ સરકારમાં મોકલાશે. રિપોર્ટને આધારે ખેડૂતોને વળતર માટેના પ્રયાસો હાથ ધરાશે.

Tags :
Advertisement

.

×