ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rishikesh : ગંગામાં ભારે પૂર, રામ ઝુલાનો તાર તૂટ્યો

પહાડો પર ભારે વરસાદને કારણે ગંગા ( Ganga ) નદીમાં પૂર આવ્યું છે. નદીના ધોવાણને કારણે ઋષિકેશ (Rishikesh)માં રામ ઝુલા બ્રિજનો સપોર્ટિંગ વાયર તૂટી ગયો હતો ત્યારબાદ રામ ઝુલા પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ઋષિકેશની રામ ઝુલા...
10:07 AM Aug 18, 2023 IST | Vipul Pandya
પહાડો પર ભારે વરસાદને કારણે ગંગા ( Ganga ) નદીમાં પૂર આવ્યું છે. નદીના ધોવાણને કારણે ઋષિકેશ (Rishikesh)માં રામ ઝુલા બ્રિજનો સપોર્ટિંગ વાયર તૂટી ગયો હતો ત્યારબાદ રામ ઝુલા પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ઋષિકેશની રામ ઝુલા...
પહાડો પર ભારે વરસાદને કારણે ગંગા ( Ganga ) નદીમાં પૂર આવ્યું છે. નદીના ધોવાણને કારણે ઋષિકેશ (Rishikesh)માં રામ ઝુલા બ્રિજનો સપોર્ટિંગ વાયર તૂટી ગયો હતો ત્યારબાદ રામ ઝુલા પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ઋષિકેશની રામ ઝુલા અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે, પરંતુ પુલ પરની અવરજવર બંધ થયા બાદ અહીંના લોકો હવે ગંગાના જળસ્તરમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે જેથી પુલનું સમારકામ થઈ શકે.
રામ ઝુલા પુલ પ્રવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે
રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા પુલ બંને કોઈપણ પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે જેઓ ઋષિકેશમાં ગંગામાં સ્નાન કરવા  આવે છે. દરેક પ્રવાસી બંને બ્રિજની મુલાકાત લેવા ઇચ્છે છે, રાત્રિ દરમિયાન બ્રિજની સુંદરતા વધુ જોવા લાયક હોય છે, તેથી મોટાભાગના પ્રવાસીઓ રામ ઝુલા પુલ પર ફરવા જાય છે, પરંતુ બ્રિજમાં તિરાડના કારણે પ્રવાસીઓને અત્યારે તેની મુલાકાત લેવાની મંજૂરી નથી.
હિમાચલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 74 થયો છે
 હિમાચલ પ્રદેશમાં તબાહી પછી પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા બચાવ અભિયાન વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 74 લોકોએ જીવ ગુમાવ્યા છે. શિમલામાં બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. અહીં ભારે વરસાદ બાદ પહાડોમાં તિરાડ પડી રહી છે જેના કારણે લોકોને નજીકના ઘરો છોડવાની ફરજ પડી છે.
અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ઘરને નુકસાન થયું છે
સમગ્ર હિમાચલમાં લગભગ 10,000 ઘરોને નુકસાન થયું છે. કાંગડામાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ એરફોર્સને બચાવ માટે બોલાવવી પડી હતી, તેથી ઘણા વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ ચાલુ નથી. મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ જણાવ્યું હતું કે ભારે ચોમાસાના વરસાદથી નુકસાન પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી બનાવવામાં એક વર્ષ લાગશે. સુખુએ કહ્યું હતું કે ગયા મહિને અને આ અઠવાડિયે થયેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં અંદાજે 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો---HIMACHAL NEWS : હિમાચલમાં પૂર-વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 74 લોકોના મોત
Tags :
Gangaheavy floodheavy rainRam JhulaRishikesh
Next Article