ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છોટાઉદેપુરમાં ભારે વરસાદ : ચીખલી ગામમાં મકાન ધરાશાયી થતાં માતા-પુત્રીનું દુઃખદ મોત

છોટાઉદેપુરમાં વરસાદનો વિનાશ: ચીખલી ગામમાં મકાન ધરાશાયી, માતા-પુત્રીનું મોત
10:48 PM Aug 24, 2025 IST | Mujahid Tunvar
છોટાઉદેપુરમાં વરસાદનો વિનાશ: ચીખલી ગામમાં મકાન ધરાશાયી, માતા-પુત્રીનું મોત

છોટાઉદેપુર : ગુજરાતમાં ચોમાસાનો કહેર યથાવત છે. ભારે વરસાદે આદિવાસી વિસ્તારોમાં પણ હાહાકાર મચાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં રવિવારે સવારે એક દુઃખદ ઘટના બની છે. જ્યાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થઇ ગયું છે. આ દુર્ઘટનામાં માતા અને તેમની પુત્રી કાટમાળ નીચે દબાઈ જતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાએ ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને સ્થાનિક તંત્રે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી છે.

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓગસ્ટે કવાંટ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે નદીઓ અને ઝરણાં ગાંડાંતૂર બન્યાં હતા. ચીખલી ગામમાં રહેતા એક ગરીબ પરિવારનું જૂનું માટીનું મકાન આ ભારે વરસાદનો ભોગ બન્યું છે. સવારે લગભગ 6 વાગ્યે મકાનની દીવાલો અને છત અચાનક ધરાશાયી થતાં માતા (45 વર્ષ) અને તેમની 16 વર્ષની પુત્રી દબાઈ ગયાં હતા.

આ પણ વાંચો- Ahmedabad : રખડતાં ઢોરને લઈ જતી AMC ની ટીમ, પોલીસકર્મીઓ પર હુમલો! Video વાઇરલ

ઘટનાની જાણ થતાં ગામના લોકો દોડી આવ્યા અને કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહતો. ઘણી મહેનત બાદ બંનેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. સ્થાનિક રહેવાસીએ શોક વ્યક્ત કરતાં કહ્યું, “આ પરિવાર ખૂબ ગરીબ હતો. મકાન જૂનું હતું, અને વરસાદે તેની હાલત વધુ ખરાબ કરી દીધી. આ ઘટનાએ અમને બધાને દુઃખી કરી દીધા.”

ઘટનાની જાણ થતાં જ કવાંટ પોલીસ અને તાલુકા વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતુ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કવાંટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છોટાઉદેપુર જિલ્લામાં 26-27 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. આદિવાસી વિસ્તારોમાં જર્જરિત મકાનો અને નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે આવી દુર્ઘટનાઓનું જોખમ વધી જાય છે. સ્થાનિક તંત્રે ગામલોકોને નદી કાંઠે અવરજવર ન કરવા અને જર્જરિત ઘરોમાં રહેવાનું ટાળવા અપીલ કરી છે.

આ પણ વાંચો- અમદાવાદમાં હત્યાઓનો સિલસિલો યથાવત; કાગડાપીઠ પછી ઘોડાસરમાં મર્ડર

Tags :
#ChikhliVillageBuildingCollapseChotaudepurgujaratnewsheavyrain
Next Article