દેશના વડાપ્રધાન માટે ન છાજે તેવા શબ્દો વાપર્યા ; જીગ્નેશ મેવાણી પર હિતેન્દ્ર પટેલ-ગેડિયાના તીખા પ્રહાર
- મેવાણીના PM વિરુદ્ધ 'વાણી વિલાસ'થી ભાજપ લાલચોળ : માફી નહીં માંગે તો આંદોલનની ચેતવણી
- જીગ્નેશ મેવાણી પર હિતેન્દ્ર પટેલ-ગેડિયાના તીખા પ્રહાર : OBC-દલિત સમાજનું અપમાન
- વડનગર સભામાં PM મોદી પર મેવાણીની ટિપ્પણી : ભાજપે કરી માફીની માંગણી
- કોંગ્રેસના નેતા મેવાણીના નિવેદનથી રાજકારણ ગરમાયું : નફરતની રાજનીતિનો આરોપ
- ગુજરાતમાં વિવાદ : મેવાણીના PM વિરુદ્ધ શબ્દો પર ભાજપનો પ્રહાર, વિરોધની તૈયારી
અમદાવાદ : વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાના આરોપ સાથે ગુજરાતનું રાજકારણ તેજીથી ગરમાઈ રહ્યું છે. ભાજપના કિસાન નેતા હિતેન્દ્રભાઈ પટેલ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ મેવાણી પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે મેવાણીને તાત્કાલિક બિનશરતી માફી માંગવાની માંગ કરી છે, અન્યથા દલિત સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલનની ચેતવણી પણ આપી છે. આ વાયરલ થયેલા વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સે વિવાદને વધુ તીવ્રતા આપી છે, જેમાં કોંગ્રેસના નેતૃત્વ અને PM પદની મર્યાદા પર પ્રશ્નો ઉભા થયા છે.
ધારાસભ્ય Jignesh Mevani પર ભાજપ નેતાના પ્રહાર | Gujarat First
ભાજપના અનુ.જાતિ મોરચાના પ્રમુખના Jignesh Mevani પર પ્રહાર
"Jignesh Mevani એ દેશના વડાપ્રધાન માટે ન છાજે તેવા શબ્દો વાપર્યા"
Jignesh Mevani એ દેશના વડાપ્રધાનનું અપમાન કર્યું છેઃ Gautam Gediya
રોજ ઉઠીને Jignesh Mevani… pic.twitter.com/NY0NV8XlLF— Gujarat First (@GujaratFirst) December 2, 2025
ઘટના વડનગરમાં યોજાયેલી એક રાજકીય સભા દરમિયાન બની છે. જ્યાં મેવાણીએ PM મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હોવાના આરોપ છે. આ ટિપ્પણીને લઈને ભાજપે તેને 'વાણી વિલાસ' અને 'નફરતની રાજનીતિ' ગણાવી છે. હિતેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, "રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે હારવાનો વિક્રમ કર્યો છે. કોંગ્રેસના નેતાઓ PM પદની ગરિમા રાખ્યા વિના નિવેદન કરે છે. આવા લોકોને જનતા જવાબ આપે તેવી અપીલ કરું છું." તેમણે PM પદની મર્યાદાને શોભે નહીં તેવા નિવેદનોને વખોડ્યા અને કોંગ્રેસની હારના કારણે એવી નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પણ પત્રકાર પરિષદમાં મેવાણી પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, "જીગ્નેશ મેવાણીએ દેશના વડાપ્રધાન માટે ન છાજે તેવા શબ્દો વાપર્યા, જે PMનું અપમાન છે. તે રોજ ઉઠીને નફરતની રાજનીતિ કરે છે. આ નિવેદનથી સમગ્ર OBC સમાજ અને ઉત્તર ગુજરાતનું અપમાન થયું છે." ગેડિયાએ વધુમાં કહ્યું કે, "મેવાણીના મતવિસ્તારમાં દલિતો પર અત્યાચાર થાય છે. જો માફી નહીં માંગે તો દલિતો વિરોધ પ્રદર્શન કરશે." ભાજપના અન્ય નેતાઓ, જેમ કે MLA ભીખાભાઈ બરૈયા અને ધવલ ડેવે પણ જિજ્ઞેશ મેવાણીના આ નિવેદનને લઈને એક્સ પર નિંદા કરીને માફીની માંગ કરી છે.


