ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અશોક ગેહલોત બોલતા રહ્યા અને મોદી...મોદીના નારા લાગ્યા....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 5500 કરોડ રૂપિયાની ભેટ લઈને રાજસ્થાન પહોંચ્યા હતા. નાથદ્વારામાં પીએમ મોદીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મળીને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.  દરમિયાન ફરી એકવાર મુખ્યમંત્રી અશોક ગેહલોતને 'મોદી-મોદી'ના નારાનો સામનો કરવો પડ્યો હતો. ગેહલોત ભાષણ માટે...
01:14 PM May 10, 2023 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 5500 કરોડ રૂપિયાની ભેટ લઈને રાજસ્થાન પહોંચ્યા હતા. નાથદ્વારામાં પીએમ મોદીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મળીને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.  દરમિયાન ફરી એકવાર મુખ્યમંત્રી અશોક ગેહલોતને 'મોદી-મોદી'ના નારાનો સામનો કરવો પડ્યો હતો. ગેહલોત ભાષણ માટે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 5500 કરોડ રૂપિયાની ભેટ લઈને રાજસ્થાન પહોંચ્યા હતા. નાથદ્વારામાં પીએમ મોદીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મળીને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.  દરમિયાન ફરી એકવાર મુખ્યમંત્રી અશોક ગેહલોતને 'મોદી-મોદી'ના નારાનો સામનો કરવો પડ્યો હતો. ગેહલોત ભાષણ માટે ઉભા થયા કે તરત જ સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા. જોકે, પીએમ મોદીએ પોતે ઈશારો કરીને લોકોને શાંત રહેવા કહ્યું હતું.
પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યા

બુધવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે નાથદ્વારામાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંને નેતાઓ એકબીજાનો હાથ પકડીને હસતા જોવા મળ્યા હતા. શ્રીનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી, પીએમ મોદીએ 5,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 3 રેલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.

ગેહલોતના ભાષણમાં મોદી...મોદીના નારા
ગેહલોતે કાર્યક્રમમાં કહ્યું, 'હું પીએમ મોદીનું સ્વાગત કરું છું. મને ખુશી છે કે વડાપ્રધાન આજે નેશનલ હાઈવે અને રેલ્વે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે... પહેલા આપણે ગુજરાત સાથે સ્પર્ધા કરતા હતા અને લાગતું હતું કે આપણે પાછળ રહીએ છીએ પણ હવે આગળ વધી ગયા છીએ. ગેહલોતના ભાષણ દરમિયાન સતત મોદી-મોદીના નારા લાગ્યા હતા. જોકે, તેણે અસ્વસ્થતા અનુભવ્યા વિના બોલવાનું ચાલુ રાખ્યું.
પીએમ મોદીએ લોકોને શાંત રહેવા અપીલ કરી
અશોક ગેહલોત ખુરશી પરથી ઉઠતાની સાથે જ પીએમ મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા. જો કે પીએમ મોદીને આ વાત પસંદ ન આવી. તે સતત લોકોને શાંત રહેવાની અપીલ કરતા જોવા મળ્યા હતા. ગેહલોત આ પહેલા પણ ઘણી વખત આવી પરિસ્થિતિઓનો સામનો કરી ચુક્યા છે. હાલમાં જ તેઓ IPL મેચ જોવા ગયા ત્યારે મોદી-મોદીના નારા સાથે તેમનો સામનો થયો હતો.
આ પણ વાંચો----ગયા વર્ષે જ્યાં ઘૂંટણિયે પડી માફી માગી હતી ત્યાં આજે આવશે PM MODI
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Ashok GehlotNarendra ModinathdwaraRajasthan
Next Article