ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, 6 લોકોના મોત, જુઓ VIDEO

મધ્યપ્રદેશના મુરેનામાં શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના 6 લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ...
04:03 PM May 05, 2023 IST | Hiren Dave
મધ્યપ્રદેશના મુરેનામાં શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના 6 લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ...

મધ્યપ્રદેશના મુરેનામાં શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના 6 લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/WhatsApp-Video-2023-05-05-at-3.49.39-PM.mp4

આ દરમિયાન બંને પક્ષના લોકોએ દેશી બનાવટની પિસ્તોલથી એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બંને પક્ષના ચાર લોકોના મોત થયા છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આમાંથી ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

બંને પક્ષો સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને, આરોપીઓની શોધમાં તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ઝઘડો સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ગામમાં એક નાના પ્લોટને લઈને થયો હતો. વાસ્તવમાં બંને પક્ષો આ પ્લોટ પર પોતપોતાનો દાવો કરી રહ્યા છે. આ બાબતે વર્ષ 2014માં પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

તે સમયે પણ બંને પક્ષે ભારે લાઠીચાર્જ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારથી બીજો પક્ષ તકની રાહ જોઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે આ પક્ષે મોકો મળ્યો અને હુમલો કર્યો. આ દરમિયાન બીજી બાજુના લોકો પણ ભેગા થઈ ગયા અને બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું.

આપણ  વાંચો-

Tags :
FiringLand DisputeMadhya Pradesh
Next Article