India China Dam Issue : ભારત અને ચીન વચ્ચે વધુ એક તણાવ સર્જાયો છે. ચીને તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદીના નીચલા ભાગ પર વિશ્વના સૌથી મોટા જળવિદ્યુત બંધનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. અરુણાચલ પ્રદેશ સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર બાંધવામાં આવી રહેલો છે. જે 60,000 મેગાવોટનો મેડોગ જળવિદ્યુત પ્રોજેક્ટ ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ બંધને ભારત માટે પાણીનો બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે.
India China Dam Issue : શું ચીન તૈયાર કરી રહ્યું છે વોટર બોમ્બ ?
ઉલ્લેખનીય છે કે હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે ફરી એક વખત ચીન અને ભારત વચ્ચે વિવાદ સર્જાયો છે. અરુણાચલ પ્રદેશ સરહદથી માત્ર 50 કિલોમીટરના અંતરે બની રહેલો 60,000 મેગાવોટનો આ મેડોગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ભારત માટે ચિંતાનો વિષય છે. નિષ્ણાતો તેને ભારત માટે એક સંભવિત 'વોટર બોમ્બ' તરીકે જોઈ રહ્યા છે.
ભારતે વળતા જવાબમાં પોતાની કમર કસી
જો કે ચીનની આ હિલચાલના જવાબમાં ભારતે પણ પોતાની કમર કસી લીધી છે. ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં સિયાંગ નદી પર 'સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ'ને વેગ આપ્યો છે. આ પ્રોજેક્ટ NHPC ના નેજા હેઠળ આકાર લેશે. જેની અંદાજિત કિંમત રુપિયા 1.5 લાખ કરોડ જેટલી છે. જો કે આ માત્ર એક જળવિદ્યુત પ્રોજેક્ટ નથી, પરંતુ વ્યૂહાત્મક રીતે ચીનના જળ-ડાયવર્ઝન સામેનો ભારતીય સુરક્ષા કવચ છે.
ચીનના જળ-ડાયવર્ઝન સામેનો ભારતીય સુરક્ષા કવચ તૈયાર !
ચીનનું નિર્માણ કાર્ય અત્યારે પૂરાજોશમાં છે, જ્યારે ભારતનો પ્રોજેક્ટ હાલ પ્રારંભિક તબક્કે છે. યાર્લુંગ ત્સાંગપો નદી ભારતમાં સિયાંગ તરીકે અને ત્યારબાદ બ્રહ્મપુત્રા તરીકે વહે છે, જે આસામ અને અરુણાચલના લાખો લોકોની જીવાદોરી સમાન છે. ચીનનો આ બંધ બ્રહ્મપુત્રાના કુદરતી પ્રવાહને બદલી શકે છે, જેનાથી પૂર જેવી કુદરતી આફતોનો ખતરો વધી ગયો છે.
કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે તે આ સમગ્ર મામલા પર બાજનજર રાખી રહી છે અને ડાઉનસ્ટ્રીમ વિસ્તારોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છે. ભારત હવે પૂરની આગાહી અને નદી દેખરેખ સિસ્ટમને ઉત્તર-પૂર્વમાં વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેથી ભવિષ્યના કોઈ પણ સંભવિત જળ-સંકટને ટાળી શકાય.
આ પણ વાંચો : London Train Collision : લંડન નજીક 2 ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત! ઇમરજન્સી સેવાઓ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ