ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતે UNHRCમાં પાકિસ્તાનને આપ્યો કરારો જવાબ, કહ્યું- સૌથી ખરાબ રેકોર્ડવાળો દેશ

UNHRC અધિકારી મોહમ્મદ હુસૈને કહ્યું કે આ કેટલું વિડંબનાપૂર્ણ છે કે એવો દેશ જેનું માનવ અધિકાર રેકોર્ડ સૌથી ખરાબ છે, તે બીજાને ઉપદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે
11:18 PM Oct 02, 2025 IST | Mujahid Tunvar
UNHRC અધિકારી મોહમ્મદ હુસૈને કહ્યું કે આ કેટલું વિડંબનાપૂર્ણ છે કે એવો દેશ જેનું માનવ અધિકાર રેકોર્ડ સૌથી ખરાબ છે, તે બીજાને ઉપદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે

નવી દિલ્હી : જેનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)ના 60મા સત્રમાં ભારતે પાકિસ્તાનને માનવ અધિકારો પર અરિસો બતાવ્યો અને તેની બેતરફી નીતિની કડક ટીકા કરી હતી. ભારતે ઉજાગર કર્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓનું કેવું શોષણ થઈ રહ્યું છે. માનવ અધિકારો પર તેનું કેટલું ખરાબ રેકોર્ડ છે અને તે આ મુદ્દા પર ઉપદેશ આપી રહ્યું છે.

ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજદ્વારી અધિકારી મોહમ્મદ હુસૈને કહ્યું કે આ કેટલું વિડંબનાપૂર્ણ છે કે એવો દેશ જેનું માનવ અધિકાર રેકોર્ડ સૌથી ખરાબ છે, તે બીજાને ઉપદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું, 'આપણા વિરુદ્ધ ખોટા આરોપો સાથે તેઓ આ મંચનો દુરુપયોગ કરે છે. આથી માત્ર તેમની બેતરફી નીતિ ઉજાગર થાય છે.'

આ પણ વાંચો- Inside Asia’s Hidden Country: સમગ્ર વિશ્વ માટે ભૂતાન કેમ છે મિસાલ?

ભારતીય રાજદ્વારી  અધિકારીએ UNHRCમાં આપ્યો કરારો જવાબ

હુસૈને વધુમાં કહ્યું કે પાકિસ્તાને દુષ્પ્રચાર કરવાની જગ્યાએ તેના લઘુમતીઓ વિરુદ્ધ સરકાર પ્રાયોજિત શોષણ અને આયોજિત ભેદભાવથી નિપટવું જોઈએ. ભારતીય રાજદ્વારી અધિકારીએ જવાબ આપવાના અધિકાર હેઠળ પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો છે.

ગુલામ જમ્મુ-કાશ્મીરનો કર્યો ઉલ્લેખ

આ પહેલાં પાકિસ્તાનના પ્રતિનિધિ અબ્બાસ સરવરે ભારત પર જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકાર સ્થિતિમાંથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે સંયુક્ત કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના પ્રવક્તા નાસિર અઝીઝ ખાને યુએનએચઆરસીને સંબોધિત કરતાં વિસ્તારમાં પાકિસ્તાનના વધતા દમન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની અપીલ કરી હતી.

તેમણે ગુલામ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનો પર કેવી રીતે બર્બરતા કરવામાં આવી જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને 22 ઘાયલ થયા હતા.

આ પણ વાંચો- ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો… Rahul Gandhi ના નિવેદને મચાવ્યો હોબાળો! BJPના પલટવારે કહ્યા ‘પ્રચાર નેતા’

Tags :
IndiaPakistanUNHRC
Next Article