ભારતે UNમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, કહ્યું-Pokમાં પાકિસ્તાન અત્યાચાર કરવાનું બંધ કરે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં ભારતે પાકિસ્તાનના બેવડા વલણ પર આકરા પ્રહાર કર્યા છે. ભારતના UN મિશનના પ્રથમ સચિવ, ભાવિકા મંગલાનંદને પાકિસ્તાન-કબજાગ્રસ્ત કાશ્મીર (PoK) માં માનવાધિકાર ઉલ્લંઘનો તાત્કાલિક બંધ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે PoK ના લોકો લશ્કરી કબજા અને અત્યાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે.
Advertisement
- UNGA PoK :ભારતે પાકિસ્તાનને UN મા લગાવી ફટકાર
- Pok મામલે ભારતે પાકિસ્તાન પર કર્યા પ્રહાર
- Pokમાં પાકિસ્તાન અત્યાચાર કરવાનું બંધ કરે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં ભારતે પાકિસ્તાનના બેવડા વલણ અને જમ્મુ-કાશ્મીર માં તેના દ્વારા આચરવામાં આવતા ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન અંગે સખ્ત વલણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાન-કબજાગ્રસ્ત કાશ્મીર (PoK) ના એવા વિસ્તારોમાં અત્યાચાર તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે, જ્યાં સ્થાનિક લોકો હવે ખુલ્લેઆમ પાકિસ્તાની કબજા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભારતના UN મિશનના પહેલા સચિવ ભાવિકા મંગલાનંદને શુક્રવારે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક અઠવાડિયામાં, પાકિસ્તાની સૈન્ય અને તેના પ્રોક્સી આતંકવાદીઓએ તેમના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓની માંગ કરતા નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે.

