ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TOURISM STRIKE : તુર્કિયે અને અઝરબૈજાનના ટુરિસ્ટ પેકેજ ધડાધડ રદ, બુકીંગ બંધ

TOURISM STRIKE : ભારતના દુશ્મનોને સાથ આપનારા દેશો વિરૂદ્ધ ભારતીયો તથા ભારતીય કંપની દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે
10:20 AM May 11, 2025 IST | PARTH PANDYA
TOURISM STRIKE : ભારતના દુશ્મનોને સાથ આપનારા દેશો વિરૂદ્ધ ભારતીયો તથા ભારતીય કંપની દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે

TOURISM STRIKE : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધોમાં ગતરોજ સત્તાવાર રીતે યુદ્ધ વિરામની (INDIA PAKISTAN CEASE FIRE) જાહેરાત કરવામાં આી છે. જો કે, આ વચ્ચે ભારતના દુશ્મન દેશ સાથે તુર્કિયે અને અઝરબૈજાન મદદમાં ઉભુ હોવાની હકીકતો સામે આવતા ભારતીયો ભારે આક્રોશિત થયા છે. અને તુર્કિયે અને અઝરબૈજાનના ટુરિસ્ટ પેકેજ ધડાધડ રદ (boycott tourism to Azerbaijan and Turkey) કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિં ઓનલાઇન ટુર પેકેજ બુકીંગની સુવિધાઓ આપતી કંપની દ્વારા પણ તુર્કિયે અને અઝરબૈજાનના પેકેજના બુકીંગ બંધ કર્યા છે. ભારતની કંપની તથા ભારતીયો દ્વારા લેવાયેલા નિર્ણયની આગામી સમયમાં બંને પર ભારે અસર વર્તાય તો નવાઇ નહીં.

રાષ્ટ્ર હિતોને ધ્યાને રાખીને ઝડપથી સતર્કતા ફેલાઇ

EaseMyTrip, Cox & Kings અને Travomint એ તુર્કિયે અને અઝરબૈજાન માટે બુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે, જે રાષ્ટ્રીય ભાવના સાથે અનુરૂપ છે. આ નિર્ણય ઉદ્યોગોમાં બદલાદ દર્શાવે છે, બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય મામલે, રાષ્ટ્ર હિતોને ધ્યાને રાખીને ઝડપથી સતર્કતા ફેલાઇ રહી છે.

મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

ઇઝમાયટ્રીપના સ્થાપક નિશાંત રેડ્ડીનું કહેવું છે કે, આ અનિશ્ચિતતા ભર્યા સમયે તેમણે મુસાફરોની સુરક્ષા પર વધારે ભાર મુક્યો છે. હાલના ઘટનાક્રમ ચિંતા કરાવે તેવા છે. અમારા મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ગ્રાહકોને સુચવીએ છીએ કે, ખુબ સાવધારી રાખજો, અને સંવેદનશીલ ભાગોમાં પ્રવાસનું આયોજન કરતા પહેલા અધિકારીઓની સલાહ-સૂચન અંગે માહિતી મેળવતા રહેજો. હાલ તબક્કે અમારી કંપની દ્વારા બંને દેશો માટેની ઓનલાઇન બુકીંગ સેવા રદ કરવામાં આવી છે.

દ્રઢ અને જવાબદાર નિર્ણય લીધો

ટ્રેવોમીંટના સીઇઓ પણ આ અભિયાનમાં સામેલ થયા છે. તેમણે કંપની વલણ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, પાકિસ્તાન અને તુર્કિયે અને અઝરબૈજાન સાથે તણાવના કારણે અમે એક દ્રઢ અને જવાબદાર નિર્ણય લીધો છે. અમે તુર્કિયે અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવાના ભારતીયોના નિર્ણયને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. અને નવા બુકીંગ રદ કર્યા છે.

આ પણ વાંચો --- રેલ્વે મંત્રીએ ટ્રેન સંચાલનની સમીક્ષા કરી, ફસાયેલા મુસાફરો માટે વિશેષ આયોજન

Tags :
andand AzerbaijanCompanyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsindianNationonstriketourismturkeyworld news
Next Article