India-Pakistan War : પાકિસ્તાની હુમલાઓને કેવી રીતે નિષ્ફળ બનાવી તેમના ઠેકાણાઓનો નાશ કર્યો, તેનો Indian Army એ Video શેર કર્યો
- ફરી એકવાર ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવી દીધી
- રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ
- પાકિસ્તાની હુમલાઓને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો
India-Pakistan War : ફરી એકવાર ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવી દીધી છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન, સેનાએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં સમજાવવામાં આવ્યું છે કે તેણે દુશ્મનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કેવી રીતે કર્યો. સેનાએ જણાવ્યું હતું કે 8 અને 9 મે 2025 ની રાત્રે, પાકિસ્તાન સેનાએ પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

