ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Railway નો કમાલ, ટ્રેનના પાટા વચ્ચે સોલાર પેનલ મુકવાનો પ્રયોગ સફળ

Indian Railway : રેલ્વેનું ઐતિહાસિક પગલું! બનારસ લોકોમોટિવ વર્ક્સે 70 મીટર લાંબી રીમુવેબલ સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરી છે - મંત્રાલય
04:54 PM Aug 18, 2025 IST | PARTH PANDYA
Indian Railway : રેલ્વેનું ઐતિહાસિક પગલું! બનારસ લોકોમોટિવ વર્ક્સે 70 મીટર લાંબી રીમુવેબલ સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરી છે - મંત્રાલય

Indian Railway : ભારતીય રેલ્વેએ (Indian Railway) ગ્રીન એનર્જી અને ટેકનોલોજીકલ (Green Energy And Technology) નવીનતા તરફ એક મોટું પગલું ભર્યું છે. વારાણસી (Varanasi) સ્થિત બનારસ લોકોમોટિવ વર્ક્સ (BLW) એ રેલ્વે ટ્રેક વચ્ચે દેશની પ્રથમ રીમુવેબલ સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરી છે (Solar Panel On Railway Track). જે અંગેની રેલ્વે મંત્રાલયે કહ્યું, "ભારતીય રેલ્વેનું ઐતિહાસિક પગલું! બનારસ લોકોમોટિવ વર્ક્સે 70 મીટર લાંબી રીમુવેબલ સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરી છે. તેમાં 15 કિલોવોટ પીક (KWp) ની ક્ષમતાવાળા 28 પેનલ છે. ટકાઉ અને ગ્રીન રેલ પરિવહન તરફ આ એક મહત્વપૂર્ણ પહેલ છે."

"નવી શક્યતાઓના દરવાજા" ખોલશે

આ સાથે જ રેલ્વેએ માલવાહક સેવાઓનો પણ વિસ્તાર કર્યો છે. 10 ઓગસ્ટના રોજ, ભારતીય રેલ્વેએ પહેલીવાર મીઠાથી ભરેલી માલવાહક ટ્રેન ચલાવી હતી. આ ટ્રેન ભુજ-નલિયા રેલ્વે સેક્શનના સણોસરા સ્ટેશનથી દહેજ માટે રવાના થઈ હતી. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnaw) રવિવારે આ માહિતી આપી હતી. આ દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ નવી લોજિસ્ટિક્સ સુવિધા પ્રદેશના મીઠા ઉદ્યોગ માટે "નવી શક્યતાઓના દરવાજા" ખોલશે.

લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત બનાવશે

અમદાવાદ ડિવિઝન રેલ્વે ઓફિસર (DRM) એ જણાવ્યું હતું કે, 9 ઓગસ્ટના રોજ આ માલગાડીમાં 3,851.2 ટન મીઠું ભરેલું હતું. તેણે 673.57 કિમીનું અંતર કાપ્યું હતું અને તેનાથી લગભગ 31.69 લાખ રૂપિયાની માલગાડીની આવક થવાની ધારણા છે. તેને અમદાવાદ ડિવિઝનની સિદ્ધિ ગણાવતા, DRM એ જણાવ્યું હતું કે આ પગલું પ્રાદેશિક ઉદ્યોગ અને ભારતના લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત બનાવશે. દરમિયાન, પશ્ચિમ રેલ્વેએ 12 ઓગસ્ટના રોજ નાગડા-ખાચરોડ સેક્શન (રતલામ ડિવિઝન) માં દેશની પ્રથમ 2×25 kV શક્તિશાળી અને આર્થિક ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ (જે પદ્ધતિ દ્વારા ટ્રેનને રેલ્વે લાઇન પર ચલાવવા માટે વીજળી પૂરી પાડવામાં આવે છે) સફળતાપૂર્વક કાર્યરત કરી.

રેલ્વેની જરૂરિયાત મુજબ 2-ફેઝમાં રૂપાંતરિત કરે છે

આ સિસ્ટમમાં બે સ્કોટ કનેક્ટેડ 100 MVA પાવર ટ્રાન્સફોર્મર છે, જે ઓવરહેડ સાધનોને કાર્યક્ષમ વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગદા ટ્રેક્શન સબ-સ્ટેશન એ ભારતનું પહેલું સ્ટેશન છે જે સ્કોટ કનેક્ટેડ ટેકનોલોજી (મોટા ટ્રાન્સફોર્મર જે સ્ટેશનથી આવતી 3-ફેઝ વીજળીને રેલ્વેની જરૂરિયાત મુજબ 2-ફેઝમાં રૂપાંતરિત કરે છે અને તેને ઓવરહેડ વાયરમાં ટ્રાન્સમિટ કરે છે. આ ટ્રેનોને ઝડપી અને વિક્ષેપ વિના દોડવા સક્ષમ બનાવે છે) સાથે કાર્યરત છે. આ રેલ્વે વીજળીકરણ માળખાને વધુ મજબૂત બનાવવા માટેનું એક પગલું છે.

આ પણ વાંચો ---- Election Commission દ્વારા બિહારના રદ કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરાઈ

Tags :
AshwiniVaishnawBLWVaranasiElectricTractionSystemFreightOperationsGujaratFirstgujaratfirstnewsIndianRailwaysSaltIndustryScottTransformerSolarPanelSolarPanelOnRailwaTrackWesternRailway
Next Article