Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડને લઈને કોર્ટમાં તીવ્ર દલીલો : પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના આરોપોમાં તપાસ તેજ બની છે. ભુજની વિશેષ કોર્ટમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીમાં EDએ પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યારે બચાવ પક્ષે તેનો તીવ્ર વિરોધ કર્યો હતો.
સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડને લઈને કોર્ટમાં તીવ્ર દલીલો   પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
Advertisement
  • સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ : EDની 10 દિવસની માંગ સામે કોર્ટે 7 જાન્યુઆરી સુધી મંજૂર કર્યા
  • ભુજ કોર્ટમાં તીવ્ર દલીલો : કલેક્ટર પર મની લોન્ડરિંગના આરોપોમાં EDને રિમાન્ડ મળ્યા, બચાવ પક્ષે હાઈકોર્ટ જશે
  • 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટરના રિમાન્ડ વિવાદ : EDએ પુરાવા રજૂ કર્યા, બચાવે ગેરકાયદેસર ધરપકડનો આરોપ લગાવ્યો
  • ED વિરુદ્ધ બચાવ પક્ષની તીખી ટક્કર : કલેક્ટરના ફોનમાંથી કંઈ ન મળ્યું, કોર્ટે તપાસ માટે રિમાન્ડ વધાર્યા
  • સુરેન્દ્રનગર કલેક્ટર કેસમાં કોર્ટનો નિર્ણય : 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડી, બચાવ પક્ષે સ્ટોરી બનાવવાનો આરોપ લગાવ્યો

અમદાવાદ : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના આરોપોમાં તપાસ તેજ બની છે. ભુજની વિશેષ કોર્ટમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીમાં EDએ પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યારે બચાવ પક્ષે તેનો તીવ્ર વિરોધ કર્યો હતો. કોર્ટે આખરે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં પહેલા 5 દિવસના રિમાન્ડ પછીનો વિસ્તાર છે. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે EDની તપાસને ધ્યાનમાં લઈને રિમાન્ડ આપ્યા છે.

ઈડીએ કોર્ટમાં શું કહ્યું?

આ વિવાદનું મૂળ કારણ સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ જમીનને બિન-કૃષિ (NA)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયામાં અનિયમિતતા અને લાંચના આરોપો છે. EDના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું કે કલેક્ટર તરીકે પટેલ પાસે તમામ સત્તા હતી અને તેઓ જમીન મંજૂરી આપવા કે ન આપવાના નિર્ણયો લેતા હતા. સરકારી પોર્ટલ પર વ્યવસ્થાઓ હોવા છતાં અરજદારોના બેકગ્રાઉન્ડની તપાસ અને ડોક્યુમેન્ટ અપલોડમાં અનિયમિતતા કરવામાં આવી હતી. EDએ દાવો કર્યો કે નક્કી કરેલી રકમમાં ફેરફાર કરીને લાંચ માંગવામાં આવતી હતી અને 800 અરજીઓની તપાસમાં 10 કરોડથી વધુની રકમના આરોપો સામે આવ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ચિઠ્ઠીઓ, ડિજિટલ રેકોર્ડ અને 12 ઈલેક્ટ્રોનિક ડિવાઈસ (ફોન, મેકબુક, આઈપેડ, હાર્ડડિસ્ક અને પરિવારજનોના મોબાઈલ) જપ્ત કરવામાં આવ્યા છે. EDએ જણાવ્યું કે ચેતન નામના વ્યક્તિએ 65 લાખ રૂપિયા આપ્યા હોવાનું નિવેદન છે અને પટેલના PA જયરાજસિંહ ઝાલા દ્વારા રકમ લેવામાં આવતી હતી, જે પછી વહેંચાઈ જતી હતી.

Advertisement

બચાવપક્ષે શું કહ્યું

બીજી તરફ બચાવ પક્ષના વકીલે તીવ્ર વિરોધ કરતા કહ્યું કે આ તમામ કાર્યવાહી માત્ર સ્ટેટમેન્ટના આધારે કરવામાં આવી છે અને EDએ કોઈ ચોક્કસ પુરાવા રજૂ કર્યા નથી. તેમણે જણાવ્યું કે 23 ડિસેમ્બરે મોરીનું સ્ટેટમેન્ટ લેવાયું હતું અને ત્યારે જ ED કલેક્ટરના સ્થળે પહોંચી હતી, પરંતુ કલેક્ટરના ફોનમાંથી કંઈ મળ્યું નથી અને EDની રજૂઆત ખોટી છે. બચાવ પક્ષે દલીલ કરી કે 7 દિવસ થઈ ગયા છતાં ED તપાસ પૂરી કરી શકી નથી અને મની લોન્ડરિંગ હેઠળ કેસ બને તેમ નથી. તેમણે આરોપ લગાવ્યો કે અસીલની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને ફક્ત શંકાના આધારે રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે, કારણ કે તેમની પાસેથી કોઈ રોકડ મળી નથી. બચાવપક્ષે વધુમાં કહ્યું કે, EDએ જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા નથી અને જો રિમાન્ડ મંજૂર કરાશે તો હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

Advertisement

બચાવ પક્ષે કહ્યું- ED સ્ટોરી બનાવી રહી છે

EDના વકીલે બચાવ પક્ષની રજૂઆતોનો જવાબ આપતા કહ્યું કે કોર્ટને તમામ દસ્તાવેજો પહોંચાડવામાં આવ્યા છે અને જરૂરી દસ્તાવેજો બચાવ પક્ષને પહોંચાડવામાં આવશે. તેમણે ભાર મૂક્યો કે આ તપાસમાં વધુ સમયની જરૂર છે કારણ કે ડિજિટલ પુરાવા અને વ્યવહારોની તપાસ ચાલુ છે. બચાવ પક્ષે વળતા જવાબમાં કહ્યું કે ED સ્ટોરી બનાવી રહી છે અને તેમનું કામ તથ્યો રજૂ કરવાનું છે, વાતોનું નહીં. તેમણે જણાવ્યું કે કોઈ ચોક્કસ પુરાવા રજૂ કરાયા નથી અને વોટ્સએપ ચેટની વાત કરવામાં આવે છે પરંતુ એ પુરાવા ક્યાં છે. ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે અને જો રિમાન્ડ આપવામાં આવશે તો હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે, જ્યાં આને પડકારવામાં આવશે.

શું છે આખો મામલો

ઉલ્લેખનિય છે કે, EDએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં ડેપ્યુટી મમલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.5 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. મોરીની ધરપકડ કરીને તેમને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. આ પછી પટેલને પણ ધરપકડ કરવામાં આવી અને તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના આરોપોમાં તપાસ શરૂ કરાઈ છે. રાજ્ય સરકારે પટેલને તાત્કાલિક અસરથી બદલી કરી હતી. EDએ દાવો કર્યો છે કે આ કૌભાંડમાં 1,500 કરોડથી વધુની જમીન વ્યવહારો સામેલ છે અને તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો- Visnagar : EDની મોટી કાર્યવાહી; પિંટૂ ભાવસારના 10.87 કરોડના શેરબજાર ફ્રોડમાં 110 કિલો ચાંદી-સોનું જપ્ત

Tags :
Advertisement

.

×