Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel Iran News : 'ઈઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ, અમે...', શું ઈરાને શરણાગતિ સ્વીકારી લીધી છે?

ઈરાને ઈઝરાયલ સાથેના યુદ્ધમાં શરણાગતિ સ્વીકારી લીધી છે. વિદેશ પ્રધાન અરાઘચીએ નેતન્યાહૂ સમક્ષ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે.
israel iran news    ઈઝરાયલે પહેલા હુમલા બંધ કરવા જોઈએ  અમે      શું ઈરાને શરણાગતિ સ્વીકારી લીધી છે
Advertisement
  • ઈરાન પર ઈઝરાયલના હુમલા બંને દેશો વચ્ચે તનાવ વધ્યો
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને આપી ધમકી
  • ઈઝરાયલ પહેલા હુમલા બંધ કરેઃ વિદેશ મંત્રી

ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ, બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને ધમકી આપી છે કે જો અમેરિકી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે તો અમારી સેના હુમલો કરશે. આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રીએ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તાજેતરમાં વિદેશી રાજદ્વારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનનો લશ્કરી પ્રતિભાવ સંપૂર્ણપણે કાયદેસર છે. તેમણે કહ્યું કે અમે પોતાનો બચાવ કરી રહ્યા છીએ; અમારો બચાવ સંપૂર્ણપણે કાયદેસર છે. જો આક્રમણ બંધ થાય છે, તો સ્વાભાવિક રીતે જ આપણો પ્રતિભાવ પણ બંધ થઈ જશે.

Advertisement

ઈરાને ઈઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલ છોડી

ઈરાને શનિવારે રાત્રે (૧૪ જૂન ૨૦૨૫) અને રવિવાર સવારે (૧૫ જૂન ૨૦૨૫) ઈઝરાયલ પર ડઝનબંધ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી, જેમાંથી ઘણી મિસાઈલો લશ્કરી તેમજ નાગરિક વિસ્તારોને નિશાન બનાવી હતી. અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા ૧૦ ઈઝરાયલી નાગરિકોના મોત થયા છે. આ હુમલાને ઈરાનનો સૌથી મોટો સીધો લશ્કરી પ્રતિભાવ માનવામાં આવે છે.

Advertisement

અરાઘચીએ ઇઝરાયલ પર ઈરાન અને કતાર વચ્ચેના ગેસ વિસ્તારને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. તેમણે આ હુમલાને આક્રમક અને ખતરનાક ગણાવ્યો. તેમણે કહ્યું કે સંઘર્ષને પર્સિયન ગલ્ફમાં ખેંચવો એ એક વ્યૂહાત્મક ભૂલ છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ પાર્સ ક્ષેત્ર વિશ્વના સૌથી મોટા ગેસ ભંડારોમાંનો એક છે. જો ત્યાં સંઘર્ષ ફેલાશે તો તે વૈશ્વિક ઉર્જા પુરવઠાને જોખમમાં મૂકી શકે છે.

આ પણ વાંચોઃ યુદ્ધગ્રસ્ત ઇરાનને US પ્રેસીડેન્ટ ટ્રમ્પની ચેતવણી, કહ્યું - 'અમારા પર હુમલો થયો તો...'

ઇઝરાયલી હુમલો એક સુનિયોજિત રણનીતિ હતી?

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આરોપ લગાવ્યો કે ઈઝરાયલનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોને તોડફોડ કરવાનો છે. આ રવિવારે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટોમાં એક પ્રસ્તાવ રજૂ થવાનો હતો, જે હવે રદ કરવામાં આવ્યો છે. અમેરિકાનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ઈઝરાયલનો હુમલો સમર્થન વિના થતો નથી. જો અમેરિકા વિશ્વાસ ઇચ્છે છે, તો તેણે હુમલાઓની નિંદા કરવી જોઈએ.

આ પણ વાંચોઃ યુદ્ધગ્રસ્ત ઇરાનનું એર સ્પેસ બંધ થતા ભારતની બે એરલાયન્સે એલર્ટ જારી કર્યું

Tags :
Advertisement

.

×