Jammu and kashmir Operation Trashi : જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં 'ઓપરેશન ત્રાશી', આતંકીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ
- કિશ્તવાડના સિંઘપોરા છત્રુ વિસ્તારમાં અથડામણ
- અથડામણમાં ઘાયલ બે જવાન હાલ સારવાર હેઠળ
- સુરક્ષાદળોએ આતંકવાદીઓની કરી છે ઘેરાબંધી
Jammu and kashmir Encounter : જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોનું ઓપરેશન ત્રાશી ચાલી રહ્યું છે. સુરક્ષાદળોએ સિંઘપોરા છત્રુ વિસ્તારમાં ચાર આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે. અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. અને ઘાયલ બે જવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાદળો દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે.
ચાર જેટલા આતંકીઓ ગાઢ જંગલમાં છૂપાયા
ચાર જેટલા આતંકીઓ ગાઢ જંગલમાં છૂપાયા છે. જમ્મુ કાશ્મીરના ડીજીપીએ પણ સ્થળની મુલાકાત લીધી હતી અને આતંકવાદ વિરોધી કામગીરીની સમીક્ષા કરી હતી. આતંકવાદીઓ ભાગવાની ફિરાકમાં હોવાથી આસપાસના વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
જ્યાં સુધી વિસ્તાર સંપૂર્ણપણે આતંકથી મુક્ત ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.
ગુરુવારે સવારે લગભગ 7 વાગ્યે, સેનાના પેરા સ્પેશિયલ ફોર્સ, 11RR, 7મી આસામ રાઇફલ્સ અને SOG કિશ્તવાડની સંયુક્ત ટીમે સિંઘપોરાના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ સમય દરમિયાન, આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થતાં જ એન્કાઉન્ટર શરૂ થયું. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ગયા અઠવાડિયે સુરક્ષા દળોએ પુલવામાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમની ઓળખ આસિફ અહેમદ શેખ, અમીર નઝીર વાની અને યાવર અહેમદ ભટ તરીકે થઈ હતી. આ પહેલા શોપિયાના જિનપથેર કેલર વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જેમાંથી બેની ઓળખ શાહિદ કુટ્ટે અને અદનાન શફી તરીકે થઈ હતી.
વહીવટીતંત્રે આતંકવાદીઓ અને તેમના સહયોગીઓની મિલકતોને તોડી પાડી
આતંકવાદીઓ સામે ચાલી રહેલા અભિયાનના ભાગ રૂપે, વહીવટીતંત્રે આતંકવાદીઓ અને તેમના સહયોગીઓની મિલકતોને તોડી પાડવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવી છે. સુરક્ષા દળોનું કહેવું છે કે જ્યાં સુધી વિસ્તાર સંપૂર્ણપણે આતંકથી મુક્ત ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.
આ પણ વાંચો: Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ, જાણો ક્યા ખાબક્યો મેઘ