Jamnagar : વંડા ફળીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી યુવક પર છરીઓનાં ઘા ઝીંકી નિર્મમ હત્યા
- Jamnagar માં વંડા ફળી વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા
- ઘરમાં ઘૂસી છરીઓનાં ઘા મારી યુવાનની હત્યા નિપજાવાઈ
- મૃતક યુવાને કરેલ પ્રેમલગ્ન હત્યાનું કારણ હોવાનું અનુમાન
- મૃતક યુવાનના સાળા અને અન્ય એક શખ્સે હત્યા નિપજાવી હોવાનો આરોપ
Jamnagar : જામનગર ફરી એકવાર રક્તરંજિત થયું છે. વંડા ફળી વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. મૃતક યુવાનના સાળા અને અન્ય એક શખ્સે ઘરમાં ઘૂસી છરીઓના ઘા મારી યુવાનની હત્યા કરી હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. મૃતક યુવાને કરેલ પ્રેમલગ્ન હત્યાનું કારણ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Jamnagar નાં વંડા ફળી વિસ્તારમાં યુવકની હત્યા
Jamnagar માં એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની હચમચાવતી ઘટના બની છે. ઘરમાં ઘૂસીની યુવક પર છરીનાં ઉપરાછાપરી ઘા કરી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, મૃતક યુવક નિલય કુંડલીયા એ પ્રેમલગ્ન કર્યા હતા, જેની અદાવત રાખીને મૃતક યુવાનના સાળાએ અન્ય એક શખ્સ સાથે મળી આ હત્યા નિપજાવી છે.
જામનગરમાં વંડા ફળી વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા
ઘરમાં ઘૂસી છરીઓના ઘા મારી યુવાનની હત્યા નિપજાવાઈ
મૃતક યુવાને કરેલ પ્રેમ લગ્ન હત્યાનું કારણ હોવાનું અનુમાન
મૃતક યુવાનના સાળા અને અન્ય એક સખ્સે હત્યા નિપજાવી
પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી
ભાઈની હત્યા થતા… pic.twitter.com/SsDlc9DSEu— Gujarat First (@GujaratFirst) January 23, 2026
આ પણ વાંચો- Ahmedabad: ગોતા બ્રિજ પાસે AMTS બસે સર્જ્યો અકસ્માત, સ્કૂલ વાન સહિત 3 વાહનોને લીધા અડફેટે
ધોળા દિવસે હત્યા, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ!
જો કે, આ મામલે હજું પોલીસ તપાસ ચાલી રહી છે. આથી, હત્યા પાછળનું સાચું કારણ શું છે તે સંપૂર્ણ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ, ઘરમાં યુવકની હત્યા થતા લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પતિના મોતથી પત્ની આઘાતમાં છે. જ્યારે, પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.
આ પણ વાંચો- Gandhinagar: 24 કલાકમાં 3 પોલીસકર્મીના આપઘાત, હેડ કોન્સ્ટેબલ Upendrasinh Vaghela જીવન ટૂંકાવી લેતાં ખળભળાટ!


