Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jamnagar: SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો, સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ

જામનગરમાં (Jamnagar) SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો ઉઠી છે SIRની કામગીરીને લઈને તમામ સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ છે તેમજ આ કામગીરીને લઈને શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે તેમજ મહિલા બીએલઓ રાત્રીના કામગીરી કેવી રીતે કરી શકે? તેવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે BLO એ પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
jamnagar  sirની કામગીરીને લઈને bloની ફરિયાદો  સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ
Advertisement
  • જામનગરમાં (Jamnagar) SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો
  • કામગીરીને લઈને તમામ સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ છે
  • SIRની કામગીરીને લઈને શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે
  • બૂથમાં જઈએ ત્યારે મતદાર મળતા નથી: BLO
  • મહિલા BLO રાત્રે કામગીરી કેવી રીતે કરી શકે?: BLO

Jamnagar : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરીનો મદ્દો ચર્ચાનું કારણ બન્યો છે. તાજેતરમાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધારાના કામના દબાણના કારણે જીવલેણ ઘટનાઓ પણ બની છે. ત્યારે હવે જામનગરમાં (Jamnagar) SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો ઉઠી છે.

જામનગરમાં (Jamnagar) SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો

Advertisement

જામનગરમાં SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો ઉઠી છે તેમનું કહેવું છે કે, SIRની કામગીરીને લઈને તમામ સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ છે તેમજ આ કામગીરીને લઈને શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે. બહુ માત્રામાં શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હોવાથી શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે.

Advertisement

બૂથમાં જઈએ ત્યારે મતદાર મળતા નથી: BLO

આ મામલે પોતાની વ્યથા વ્યક્ત કરતા એક BLO એ જણાવ્યું હતું કે, બૂથમાં જઈએ ત્યારે મતદાર મળતા નથી, સરનામાં બદલાઈ ગયા છે અનેક મતદારોના, તંત્ર તરફથી કામગીરી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

મહિલા BLO રાત્રે કામગીરી કેવી રીતે કરી શકે?: BLO

આ મામલે મહિલા બીએલઓએ જણાવ્યું કે,મહિલા બીએલઓ રાત્રીના કામગીરી કેવી રીતે કરી શકે? સમજાવવા છતાં મતદારો સમજતા નથી, કોર્સ પૂરા નહીં થતા બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે.

કેવી રીતે લાવી શકાય છે નિરાકરણ ?

આ મામલે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ કહયું કે, મહિલાઓના ફોન નંબર લીક થાય છે જેથી આઇટી નિષ્ણાતની મદદ લેવી જોઈએ તેમજ અલગથી તાલીમી સ્ટાફની નિમણૂક થાય તો જ તેનું નિરાકરણ આવી શકે છે.

અહેવાલઃ NATHU AHIR

આ પણ વાંચો : Narmada : રાજપીપળામાં બેંક કેશિયરે 1.93 કરોડની ઠગાઈ કરી ફરાર

Tags :
Advertisement

.

×