અને હત્યારાઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સોર્સની અને સીસીટીવીની પણ મદદ લેવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે અને હત્યારાઓને શોધવા માટે પોલીસ કામે લાગી છે.
જામનગર શહેરમાં હત્યાની ઘટના
જામનગરમાં મોડી રાત્રે વૃદ્ધ દેવાયતભાઈ આહીરની કરપીણ હત્યા કરવામાં આવી છે, સેક્શન રોડ પર અજ્ઞાત શખ્સોએ છરી વડે હુમલો કરી કર્યા આડેધડ પ્રહાર અને હુમલામાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાની વાત સામે આવી છે.
બનાવના પગલે ડીવાયએસપી, પીઆઈ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યા કરનારા અજ્ઞાત શખ્સો કોણ ? કેમ નિપજાવાઈ હત્યા ? તેને લઈ કારણ અકબંધ છે.
પોલીસે અજ્ઞાત શખ્સોની શોધખોળ શરૂ કરી
વૃદ્ધના ઘર પાસે આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
તો હત્યા પાછળ કોનો હાથ છે તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે, પોલીસે ડમ્પ ડેટાનો ઉપયોગ કર્યો છે અને આરોપીઓ ટૂંક સમયમાં પોલીસની પકડમાં આવી જશે તેવો તેમનો દાવો છે.
આ પણ વાંચો : Rajkot : જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની વિદ્યાર્થિનીના મોતથી વિવાદ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર