ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડોદરા : ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વિવાદિત નિવેદન સામે જશપાલસિંહ પઢિયારનો વળતો પ્રહાર

વડોદરામાં નિવેદનબાજીનો દોર: ઝાલા-પઢિયારની લડાઈએ રાજકારણમાં ખળભળાટ
04:56 PM Aug 24, 2025 IST | Mujahid Tunvar
વડોદરામાં નિવેદનબાજીનો દોર: ઝાલા-પઢિયારની લડાઈએ રાજકારણમાં ખળભળાટ

વડોદરા : વડોદરાના પાદરા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર વચ્ચે શાબ્દિક યુદ્ધે રાજકીય ગરમાવો સર્જ્યો છે. ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસની સરખામણી રાક્ષસ સાથે કરી અને જશપાલસિંહ પઢિયારને "અભણ" ગણાવીને પાદરાનો વિકાસ અટક્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આના જવાબમાં પઢિયારે ઝાલાને "જૂઠ્ઠાસિંહ ઝાલા" કહીને કટાક્ષ કર્યો અને તેમના પર દારૂ તથા ભ્રષ્ટાચારનો માહોલ બનાવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

પાદરાના એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે જશપાલસિંહ પઢિયારના પાંચ વર્ષના કાર્યકાળને "અભણ શાસન" ગણાવીને વિકાસની ગતિ અટકી ગઈ હોવાનો દાવો કર્યો હતો. તેમણે નામ લીધા વગર કટાક્ષ કરતાં કહ્યું કે, પાંચ વર્ષ અભણ ધારાસભ્ય હતા. અભણ હોવાના કારણે વિકાસ કેવી રીતે કરી શકે, તેવું નિવેદન કરતાં વડોદરાના રાજકારણમાં એક નવી ચર્ચા ઉભી થઈ છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા ઝાલાએ કોંગ્રેસની સરખામણી "રાક્ષસ" સાથે કરી અને કહ્યું કે, "કોંગ્રેસનું શાસન એટલે અંધકાર અને ગેરવહીવટ." આ નિવેદનથી પણ રાજકીય વાતાવરણ ગરમાયું હતું.

આ પણ વાંચો- ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં સાબરમતી બે કાંઠે, અમદાવાદના બાકરોલમાં 30થી વધુ શ્રમિકો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો વળતો જવાબ

ચૈતન્યસિંહના આ નિવેદનનો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે વળતો જવાબ આપ્યો છે. તેમણે ઝાલાને "જૂઠ્ઠાસિંહ ઝાલા"નું બિરુદ આપીને કટાક્ષ કર્યો અને કહ્યું, "મારી શૈક્ષણિક લાયકાત જાણવા મારું એફિડેવિટ ખોલી જુઓ પરંતુ તે પહેલાં પોતાના ગુનાઓનો હિસાબ આપો." પઢિયારે ઝાલા પર દારૂના ગેરકાયદે વેપારને પ્રોત્સાહન આપવાનો અને ભ્રષ્ટાચારનો માહોલ ઊભો કરવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે જાહેર ચર્ચા માટે ઝાલાને આહ્વાન કરીને કહ્યું, "33 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં વિકાસના દાવા જૂઠા કર્યાનું નિવેદન આપ્યું છે. તેમને વધુમાં કહ્યું કે, જો હિંમત હોય તો મારી સામે આવીને ચર્ચા કરો."

રાજકીય ગરમાવો અને પ્રતિક્રિયાઓ

આ નિવેદનબાજીથી વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિક લોકો અને રાજકીય કાર્યકર્તાઓમાં આ વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયા પર બંને નેતાઓના સમર્થકો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ઝાલાના નિવેદનની નિંદા કરી અને તેને "નીચા સ્તરનું રાજકારણ" ગણાવ્યું છે.

પાદરા વિધાનસભા મતવિસ્તાર રાજકીય રીતે સંવેદનશીલ ગણાય છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા રહી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ વિવાદથી રાજકીય માહોલ વધુ તંગ થયો છે. ઝાલા અને પઢિયારની આ શાબ્દિક લડાઈએ સ્થાનિક મતદારોનું ધ્યાન ખેંચ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. તો હવે તે જોવાનું રહેશે કે, શાબ્દિક યુદ્ધ કેવી દિશા લે છે.

આ પણ વાંચો- બનાસકાંઠાના ભાભરમાં અબાળા ગામે ધીંગાણું : સરપંચ અને પૂર્વ સરપંચના જૂથો આમને-સામને, 8 લોકો ઘાયલ

Tags :
#ChaitanyaSinhJhala#JashpalSinhPadhiar#PadraControversyBJPCongressgujaratpoliticsVadodaraNews
Next Article