ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jharkhand : નક્સલવાદીઓએ બોમ્બથી રેલવે ટ્રેક તોડી નાખ્યો, હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર ટ્રેનની અવરજવર અટકી

ઝારખંડમાં માઓવાદી નક્સલીઓએ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યો હતો. તેઓએ ગુરુવારે રાત્રે ગોઇલકેલા અને પોસૈતા સ્ટેશન વચ્ચેના પાટા ઉડાવી દીધા હતા. જેના કારણે હાવડા-મુંબઈ મુખ્ય રેલ્વે લાઈન પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. CPI માઓવાદી સંગઠને ભારત બંધનું...
11:22 AM Dec 22, 2023 IST | Dhruv Parmar
ઝારખંડમાં માઓવાદી નક્સલીઓએ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યો હતો. તેઓએ ગુરુવારે રાત્રે ગોઇલકેલા અને પોસૈતા સ્ટેશન વચ્ચેના પાટા ઉડાવી દીધા હતા. જેના કારણે હાવડા-મુંબઈ મુખ્ય રેલ્વે લાઈન પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. CPI માઓવાદી સંગઠને ભારત બંધનું...

ઝારખંડમાં માઓવાદી નક્સલીઓએ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યો હતો. તેઓએ ગુરુવારે રાત્રે ગોઇલકેલા અને પોસૈતા સ્ટેશન વચ્ચેના પાટા ઉડાવી દીધા હતા. જેના કારણે હાવડા-મુંબઈ મુખ્ય રેલ્વે લાઈન પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

CPI માઓવાદી સંગઠને ભારત બંધનું એલાન આપ્યું છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર CPI માઓવાદી સંગઠને 22 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. સંગઠને ચક્રધરપુર રેલ્વે વિભાગના ગેલકેરા અને પોસૈતા રેલ્વે સ્ટેશન વચ્ચે કરો નદી પાસે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના બાદ નક્સલવાદીઓએ નજીકમાં પોસ્ટર અને બેનરો પણ લગાવ્યા છે.

સમગ્ર રેલવે ડિવિઝનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે

સ્થાનિક રેલવે અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સાવચેતીના પગલા તરીકે સમગ્ર રેલવે ડિવિઝનમાં ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોને સ્થળ પર તૈનાત માટે મોકલવામાં આવ્યા છે. રેલવે ટ્રેક રિપેર થયા બાદ જ ટ્રેનોની અવરજવર પૂર્વવત થશે.

આ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રાતોરાત રોકવામાં આવી હતી:

આ પણ વાંચો : COVID Cases : ભારતમાં ફરી કહેર મચાવશે કોરોના?, શું ફરી માસ્ક લગાવવાનો સમય આવી ગયો છે?

Tags :
Bharat bandhCPI MaoistHowrah Mumbai routeJharkhandJharkhand CPI Maoistnational newsWest Singhbhum
Next Article