J&K Attack : તારિક લબૈક મુસ્લિમના આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ
- જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં થયેલા આતંકી હુમલાનો મામલો
- આતંકવાદી જૂથ તારિક લબૈક મુસ્લિમ (TLM)ના આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ
- આ ગેંગને બાબા હમાસ નામનો આતંકવાદી ચલાવે છે
- કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીરે વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
J&K Attack : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રવિવારે મોટો આતંકી હુમલો (J&K Attack) થયો હતો. આ આતંકી હુમલામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાના તાર દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જોડાયેલા છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ નવા રચાયેલા આતંકવાદી જૂથ તારિક લબૈક યા મુસ્લિમ (TLM)ના આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના આ જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા
કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ મંગળવારે સવારે એક મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. સીઆઈકેની ટીમે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.
TLM એ લશ્કર-એ-તૈયબા (LeT)નો એક ભાગ છે.
આ ઓપરેશન દરમિયાન, નવા રચાયેલા આતંકવાદી સંગઠન 'તેહરીક લબૈક યા મુસ્લિમ' (TLM)ના આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાઉન્ટર-ઇન્ટેલીજન્સ કાશ્મીર (CIK) એ જણાવ્યું હતું કે જૂથ લશ્કર-એ-તૈયબા (LeT)નો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો----Farooq Abdullah : 'કાશ્મીર પાકિસ્તાન નહીં બને.'
આ ગેંગને બાબા હમાસ નામનો આતંકવાદી ચલાવે છે
કાઉન્ટર-ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) અધિકારીએ જણાવ્યું હતું કે 'તહેરીક લબૈક યા મુસ્લિમ' (TLM) ની આતંકવાદી ભરતી કથિત રીતે 'બાબા હમાસ' નામના પાકિસ્તાની આતંકવાદી હેન્ડલર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે વધુ માહિતી પછીથી શેર કરવામાં આવશે.
J&K: Kashmir CIK says, "In the early hours of October 22, the Counter-Intelligence Kashmir (CIK) conducted a major operation, carrying out raids across multiple districts including Srinagar, Ganderbal, Bandipora, Kulgam, Budgam, Anantnag, and Pulwama. During the operation, a…
— ANI (@ANI) October 22, 2024
લેબર કેમ્પ પર આતંકી હુમલો
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં છ મજૂરો અને એક ડૉક્ટરના મોત થયા હતા. આતંકવાદીઓએ એક ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીના કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. જ્યાં ટનલ બનાવતા કામદારો રહેતા હતા.
એક આતંકવાદી માર્યો ગયો
સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને એક આતંકીને ઠાર કર્યો હતો. આ આતંકી પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ આતંકી હુમલાની તપાસ માટે દિલ્હીથી ટીમ કાશ્મીર ગઈ છે.
આતંકી હુમલામાં જીવ ગુમાવનારા મૃતકોની ઓળખ થઈ ગઈ છે
આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓની ઓળખ થઈ ગઈ છે. મૃતકોની ઓળખ બડગામ જિલ્લાના રહેવાસી ડો. શાહનવાઝ, પંજાબના ગુરદાસપુરના રહેવાસી ગુરમીત સિંહ, બિહારના રહેવાસી મોહમ્મદ હનીફ, સેફ્ટી મેનેજર ફહીમ નાસિર અને કલીમ, મિકેનિકલ મેનેજર અનિલ કુમાર શુક્લા, મધ્ય પ્રદેશના રહેવાસી અને કઠુઆના રહેવાસી તરીકે થઈ છે. જમ્મુના ડિઝાઇનર શશી અબરોલ છે.
આ પણ વાંચો---Maharashtra: ગઢચિરોલીમાં પોલીસને મળી સફળતા,અથડામણમાં 4 નક્સલીઓ ઠાર


