બેફામ ડમ્પરોએ Juna deesa ના સત્તરાશહીદ-સિદ્ધ અંબિકા માર્ગને બનાવ્યો મોતનો રસ્તો : લોકોમાં ભય-આક્રોશ
- બેફામ ડમ્પરોના કારણે Juna deesa માર્ગ મોતનો રસ્તો : તંત્ર પાસે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
- જુનાડીસા ગામમાં ડમ્પર અકસ્માતનું જોખમ : ખેડૂતો-શ્રદ્ધાળુઓમાં આક્રોશ, મામલતદારે કહ્યું કાર્યવાહી થશે
- જુનાડીસા મુખ્ય માર્ગ પર ડમ્પરોની ઝડપ : અગાઉ અનેક અકસ્માતો, હવે જીવ જવાની રાહ જોતું તંત્ર?
- ડીસા મામલતદારનું નિવેદન : જુનાડીસા ડમ્પર ત્રાસ પર કેસ થયો, વધુ ફરિયાદ આવે તો કડક કાર્યવાહી
- જુનાડીસામાં ડમ્પરોનો ત્રાસ : સત્તરાશહીદ-સિદ્ધ અંબિકા માર્ગ રેસિંગ ટ્રેક બન્યો, લોકોમાં ભય
Juna deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ડમ્પર ચાલકોની બેફામ ઝડપ અને અનિયમિત વાહન ચલનથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને આક્રોશ વ્યાપી ગયો છે. સત્તરાશહીદથી સિદ્ધ અંબિકા માતાજીના મંદિર તરફ જતો મુખ્ય માર્ગ હવે ડમ્પરો માટે રેસિંગ ટ્રેક જેવો બની ગયો છે. રેતી ભરેલા ભારે ડમ્પરો બેફામ ઝડપે દોડતા હોવાથી બાળકો, વૃદ્ધો અને શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો મોતનો રસ્તો બની ગયો છે.
Juna deesa પ્રવેશ માટેનો એકમાત્ર માર્ગ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ માર્ગ જુનાડીસા ગામમાં પ્રવેશ માટેનો એકમાત્ર જૂનો માર્ગ છે, પરંતુ અહીં ભારે વાહનો પર કોઈ નિયંત્રણ નથી. અગાઉ પણ આ જ માર્ગ પર અનેક ગંભીર અકસ્માતો થયા છે, જેમાં જીવલેણ પરિસ્થિતિઓ ઊભી થઈ છે. લોકોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. લોકોનો આક્ષેપ છે કે તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે.
યમરાજ જેવા ભાસે છે બેફામ દોડતા ડમ્પરો
એક સ્થાનિક નાગરિકે જણાવ્યું, "અહીં રોજ ડમ્પરો બેફામ ઝડપે દોડે છે. બાળકો સ્કૂલ જાય છે, વૃદ્ધો મંદિર જાય છે, પરંતુ આ રસ્તો મોતનો રસ્તો બની ગયો છે. અમે અનેક વખત મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે, લેખિતમાં પણ આપી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી. જો કોઈનો જીવ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે."
ગુજરાત ફર્સ્ટને કરી Juna deesa ના ગામલોકોએ અપીલ
આ બાબતે ગુજરાત ફર્સ્ટ દ્વારા ડીસા મામલતદારને રૂબરૂ મળતા તેમણે જણાવ્યું કે, "જુનાડીસાના ગામ લોકોએ રજૂઆત કરી હતી અને તેના પગલે અમારા દ્વારા એક કેસ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં જો હજુ ડમ્પરો ચાલતા હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને પણ અપીલ છે કે જેને જાણ થાય તે તાત્કાલિક અમને જાણ કરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ."
અકસ્માત થાય તો જવાબદાર કોણ?
સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક આ માર્ગ પર ડમ્પરોની ઝડપ પર નિયંત્રણ મૂકવામાં આવે, સ્પીડ બ્રેકર્સ બનાવવામાં આવે, ચેતવણી બોર્ડ લગાવવામાં આવે અને નિયમિત પેટ્રોલિંગ થાય. જો આવું ન થાય તો આગામી સમયમાં મોટી દુર્ઘટના થવાની શક્યતા છે. આ મુદ્દો સ્થાનિક વહીવટી તંત્રની જવાબદારી અને રોડ સેફ્ટી પર પ્રશ્નો ઉઠાવે છે.
આ પણ વાંચો- અસુરક્ષિત Surat? પોલીસ વિભાગમાં 3204 જગ્યાઓ ખાલી હોવાનો RTI માં ખુલાસો


