Jayaraj Ahir જૂનાગઢ પહોંચતાં જ તપાસના આદેશ! જાણો શું છે કારણ?
જૂનાગઢ (Junagadh) માં શિવરાત્રી મેળા દરમિયાન લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) ખાનગી બસ લઈને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા વિવાદ સર્જાયો છે. VVIP કલ્ચર વિરુદ્ધ સામાન્ય જનતામાં રોષ જોવા મળતા અને વીડિયો વાયરલ થતા, જૂનાગઢ કલેક્ટરે (Junagadh Collector) આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
Advertisement
- Jayaraj Ahir ફરીએકવાર આવ્યા વિવાદમાં
- જૂનાગઢના ભવનાથની તળેટીમાં પ્રાઈવેટ બસ લઈ પહોંચ્યાનો આરોપ
- મેળામાં ખાનગી બસ લઈ પહોંચ્યા હોવાનો આરોપ
Jayaraj Ahir: જૂનાગઢના ભવનાથ (Bhavnath) ની તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ આ વર્ષે આ મેળો એક નવા વિવાદને કારણે ચર્ચામાં આવ્યો છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) ના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. આરોપ છે કે, જ્યારે સામાન્ય જનતા માટે મેળામાં પ્રવેશના કડક નિયમો છે, ત્યારે જયરાજ આહીર પોતાની ખાનગી બસ લઈને મેળાના પ્રતિબંધિત વિસ્તાર સુધી પહોંચ્યા હતા.

