Junagadh : ભવનાથ મંદિરના મહંતની નિમણૂંક કરવાની માગ બની પ્રબળ, રાજુ ગીરી બાપુએ આમરણાંત ઉપવાસની ઉચ્ચારી ચીમકી
Junagadh : જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂંકની માગ પ્રબળ બની છે. ગુરૂ શિષ્યની પરંપરાના રાજુ ગીરી બાપુએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે અને ભવનાથ મંદીર ઘણા સમયથી સરકાર હસ્તક છે. પૂર્વ મહંત હરીગીરીજીની મુદત પૂર્ણ થતા સરકારે પોતાની હસતક લઈ લીધો છે વહીવટ.
Advertisement
Junagadh : પૂર્વ મહંત હરીગીરીજી સામે અનેક પ્રકારના આક્ષેપ થયા હતા જેમાં ગુરૂ શિષ્યની પરંપરા મુજબ મહંતની નિમણૂંક કરવાને લઈ માગ કરવામાં આવી છે. કોઈ બહારના રાજયના સાધુની નિમણૂંક નહી કરવા માગ કરાઈ છે. ભવનાથના મહંતનું પદ સન્યાસીનું હોય છે. તો રાજુ ગીરી બાપુએ નાણાકીય લેવડ દેવડનો આક્ષેપ કર્યો છે.

