જૂનાગઢના વિસાવદરમાં માવઠાના મારના કારણે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો,સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
જૂનાગઢના વિસાવદર પંથકમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં શૈલેષ સાવલિયા (42) નામના ખેડૂતે આર્થિક સંકડામણથી ત્રસ્ત થઈ પોતાના ખેતરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ ખેડૂત પાસે માત્ર આઠ વીઘા જમીન હતી, જેમાં મગફળી, ડુંગળી અને તુવેરનું વાવેતર નિષ્ફળ ગયું હતું. વિસાવદર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Advertisement
- Junagadh માં માવઠાના મારના કારણે ખેડૂતે કર્યો આપઘાત
- આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો
- 42 વર્ષીય ખેડૂતને હતી માત્ર આઠ વીઘા જમીન
- મગફળી, ડુંગળી અને તુવેરના પાકનું કર્યું હતું વાવેતર
- કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ભર્યું પગલું!
- શૈલેષ સાવલિયા નામના ખેડૂતના આત્મહત્યાથી ચકચાર
- પોતાના ખેતરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી
જૂનાગઢ જિલ્લાના વિસાવદર (Visavadar) પંથકમાં કમોસમી વરસાદની ( Unseasonal Rain) ગંભીર અસરને કારણે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી ત્રસ્ત 42 વર્ષીય ખેડૂતે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂત આલમમાં આ દુઃખદ પગલાને કારણે ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

