Ahmedabad: જાણીતા લેખિકા કાજલબેન ઓઝા વૈદ્ય સાથે લૂંટ, લૂંટારૂઓ પર્સ લૂંટીને ફરાર
અમદાવાદ શહેરમાં સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે શહેરના એક પ્રતિષ્ઠિત અને જાણીતા સાહિત્યકાર સાથે ગંભીર અપરાધની ઘટના બની છે. વહેલી સવારે પોતાના ઘરે પરત ફરી રહેલા જાણીતા લેખિકાને નિશાન બનાવીને કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે.
Advertisement
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષાને લઈને અવારનવાર ચર્ચાઓ થતી હોય છે, ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. રાજ્યના જાણીતા અને ખ્યાતનામ લેખિકા કાજલબેન ઓઝા વૈદ્ય (Kajal Oza Vaidya) સાથે વહેલી સવારે લૂંટની ગંભીર ઘટના બની છે. આ હાઈપ્રોફાઈલ ઘટનાના કારણે પોલીસબેડામાં અને સાહિત્ય જગતમાં ભારે હલચલ મચી ગઈ છે.

