ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કર્મભૂમિ એક્સપ્રેસમાં મોટો અકસ્માત, મુંબઈથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફોના મોત

મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાં નાસિક રોડ નજીક મોટો અકસ્માત સર્જાયો. ચાલુ ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા, જેમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો. ટ્રેનમાં ભારે ભીડ હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. પોલીસ મૃતકોની ઓળખ કરવા અને તપાસ કરવા ઘટનાસ્થળે પહોંચી.
04:09 PM Oct 19, 2025 IST | Mustak Malek
મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાં નાસિક રોડ નજીક મોટો અકસ્માત સર્જાયો. ચાલુ ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા, જેમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો. ટ્રેનમાં ભારે ભીડ હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. પોલીસ મૃતકોની ઓળખ કરવા અને તપાસ કરવા ઘટનાસ્થળે પહોંચી.
KarmabhoomiExpress

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસ (Karmabhoomi Express) માં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નાસિક રોડ રેલવે સ્ટેશનથી થોડે દૂર ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા હતા, જેમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ત્રીજો મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે.

KarmabhoomiExpress: ચાલુ ટ્રેનમાંથી પટકાતા 2 મુસાફરના મોત

પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ભુસાવલ જતી ટ્રેકના 190/1 અને 190/3 કિલોમીટર વચ્ચે થયો હતો. મૃત્યુ પામેલા બંને મુસાફરોની ઉંમર આશરે 30 થી 35 વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રીજા મુસાફરને તાત્કાલિક જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ નાસિક રોડ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઓઢા રેલવે સ્ટેશન મેનેજર આકાશ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક જીતેન્દ્ર સપકાલે, સબ-ઇન્સ્પેક્ટર માલી અને કોન્સ્ટેબલ ભોલે સહિતની પોલીસ ટીમે મૃતદેહોનો કબજો લીધો અને પંચનામાની કાર્યવાહી શરૂ કરી.

 મુસાફરો વતન પરત જઇ રહ્યા હતા

પોલીસ અને રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. દિવાળીની સિઝન હોવાને કારણે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. અધિકારીઓ હજુ એ સ્પષ્ટ કરી શક્યા નથી કે મુસાફરો તહેવારની ઉજવણી માટે તેમના વતન જઈ રહ્યા હતા કે પછી બિહારમાં યોજાનારી આગામી ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા હતા.

પોલીસને મુસાફરોનો સામાન મળી આવ્યો છે, પરંતુ તેમની ઓળખ થઈ શકી નથી. હાલમાં મૃતકો અને ઘાયલ મુસાફરની ઓળખ માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી તેમના પરિવારોને આ દુર્ઘટના વિશે જાણ કરી શકાય. આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:   ભારતમાં દિવાળીની ખરીદીની ધૂમ મચી, નેપાળનું GDP અને પાકિસ્તાનનું રક્ષા બજેટ પાછળ છૂટ્યા

Tags :
Bihar TrainChhath Puja TravelGeneral CoachGujarat FirstIndian RailwaysKarmabhoomi ExpressLokmanya Tilak TerminusNashik Train AccidentRailway accidentTrain Passengers DeathTrain Safety
Next Article