Dakor: સ્ટેજ પ્રોગ્રામ અને Dj પર પ્રતિબંધ, હોળી પૂનમની તૈયારીઓને લઈ મોટા નિર્ણય, જાણો વધુ
- Dakor Holi Poonam 2026: મેળાને લઈને સૌથી મોટા સમાચાર
- પદયાત્રી રૂટ પર ડીજે વગાડવા પર પ્રતિબંધ
- વહીવટી તંત્ર અને ટેમ્પલ કમિટીનો નિર્ણય
Dakor Holi Poonam 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે દર વર્ષે યોજાતો હોળી-પૂનમનો મેળો ગુજરાતના સૌથી મોટા લોકમેળાઓમાંનો એક છે. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને રણછોડરાયના દર્શને આવતા હોય છે. આ વર્ષે યાત્રિકોની ભક્તિમાં કોઈ ખલેલ ન પડે અને વાતાવરણ શુદ્ધ તથા ભક્તિમય બની રહે તે માટે વહીવટી તંત્ર (Administrative Department) અને ડાકોર ટેમ્પલ કમિટી (Dakor Temple Committee) દ્વારા એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.
Dakor Holi Poonam 2026: DJ અને લાઉડસ્પીકરના ઘોંઘાટથી મળશે મુક્તિ!
ડાકોર ટેમ્પલ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે કે ડાકોર તરફ આવતા તમામ પદયાત્રી માર્ગો (Pedestrian Routes) પર હવે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ડીજે (DJ) અથવા લાઉડસ્પીકર (Loudspeakers) વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે મેળા દરમિયાન રસ્તાઓ પર મોટા અવાજે સંગીત વગાડવામાં આવતું હોય છે, જેના કારણે વૃદ્ધો અને અશક્ત પદયાત્રીઓને મુશ્કેલી પડતી હતી. આ ઘોંઘાટને દૂર કરી ભક્તો શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શને પહોંચી શકે તેવો આશય છે.
Dakor Holi Poonam 2026: સ્ટેજ કે મંચ પર પ્રોગ્રામ કરવા પર મનાઈ
માત્ર ડીજે જ નહીં, પરંતુ પદયાત્રી રૂટ પર ઊભા કરવામાં આવતા સ્ટેજ (Stage) કે મંચ (Podium) પર પણ લાઉડસ્પીકર મૂકીને કાર્યક્રમો કરવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. કોઈપણ સેવાભાવી સંસ્થા (Organization) કે ટ્રસ્ટ (Trust) હવે માર્ગો પર સંગીતના કાર્યક્રમો યોજી શકશે નહીં. આ નિર્ણયનો મુખ્ય હેતુ માર્ગો પર થતી ભીડને નિયંત્રિત કરવાનો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે.
ડાકોરના મેળાને લઈને સૌથી મોટા સમાચાર
પદયાત્રી રૂટ પર ડીજે વગાડવા પર પ્રતિબંધ
વહીવટી તંત્ર અને ટેમ્પલ કમિટીનો નિર્ણય
સ્ટેજ, મંચ બનાવીને પ્રોગ્રામ નહીં કરી શકાય
કોઈપણ સંસ્થા, ટ્રસ્ટ ડીજે નહીં વગાડી શકે
ટેમ્પલ કમિટી દ્વારા દર્શન માટે સ્ક્રીન લગાવાશે
આગામી બેઠકમાં અન્ય નિર્ણય પણ… pic.twitter.com/ZOPgNHpitl— Gujarat First (@GujaratFirst) February 23, 2026
ભક્તો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા
ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન (Chairman) પરિન્દુ ભગત (Parindu Bhagat) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો મંદિરમાં ભીડને કારણે અંદર સુધી પહોંચી શકતા નથી, તેમના માટે ઠેર-ઠેર મોટી સ્ક્રીન (Screens) મૂકવામાં આવશે. આ સ્ક્રીન દ્વારા ભક્તો રસ્તામાં ચાલતા-ચાલતા પણ ઠાકોરજીના લાઈવ દર્શન કરી શકશે. આનાથી મંદિરના ગર્ભગૃહ પાસે થતો ધસારો પણ ઓછો થશે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા જળવાશે.
આગામી બેઠકમાં લેવાશે વધુ નિર્ણયો
પરિન્દુ ભગતે (Parindu Bhagat) વધુમાં ઉમેર્યું હતું કે, મેળાના સુચારુ સંચાલન માટે હજુ પણ ઘણી વિચારણા ચાલી રહી છે. આગામી છેલ્લી બેઠકમાં સુરક્ષા, પાર્કિંગ અને આરોગ્ય સુવિધાઓ અંગે વધુ કડક અને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. વહીવટી તંત્ર પદયાત્રીઓની સુવિધા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચોઃ Kheda: ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટીની નિમણૂક, કોના નામ પર લાગી મહોર?
આ પણ વાંચોઃ Dakor માં ફાગણી પૂનમ મેળાને લઈને ગાંધીનગરમાં બેઠક


