Kheda: "મારા પુત્રને મરવા મજબૂર કરનારાઓને કડક સજા થવી જોઈએ" નડિયાદમાં જય પાટીલ આપઘાતથી રોષ!
- Kheda Jay Patil Sucide Case: દિનશા પટેલ કોલેજ વિવાદના વમળમાં
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના આપઘાતથી ભારે રોષ
- સમાજના અગ્રણી અને પીડિત પરિવાર SPને ઉગ્ર રજૂઆત
Kheda Jay Patil Sucide Case:ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આવેલી જાણીતી દિનશા પટેલ કોલેજ (Dinsha Patel College) અત્યારે ગંભીર વિવાદોના વમળમાં ફસાઈ છે. અનુસૂચિત જાતિ (Scheduled Caste) ના એક તેજસ્વી અને આશાસ્પદ વિદ્યાર્થી જય પાટીલ (Jay Patil) ના આપઘાતના મામલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે પીડિત પરિવાર અને સમાજના અગ્રણીઓએ ન્યાયની માંગ સાથે નડિયાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Kheda Jay Patil Sucide Case:પરિવારના ગંભીર આક્ષેપો
મૃતક વિદ્યાર્થી જય પાટીલ (Jay Patil) આ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારનો આક્ષેપ છે કે કોલેજના સ્ટાફ (College Staff) ના કેટલાક જવાબદાર વ્યક્તિઓ દ્વારા તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. આ સતત થઈ રહેલી હેરાનગતિથી કંટાળીને અંતે જયે અંતિમ પગલું ભરી લીધું છે. શોકમગ્ન પિતાએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે, "મારો પુત્ર ભણવામાં હોશિયાર હતો, પણ કોલેજના સ્ટાફના દબાણને કારણે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મારા પુત્રને મરવા મજબૂર કરનારાઓને કડક સજા થવી જોઈએ."
Kheda Jay Patil Sucide Case:પોલીસ વડાને ઉગ્ર રજૂઆત
આજે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને જિલ્લા પોલીસ વડા (Superintendent of Police - SP) ની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આવેદનપત્ર (Memorandum) આપીને જવાબદારો સામે તાત્કાલિક ગુનો (FIR) નોંધવાની માંગ કરી હતી. લોકોનો આક્રોશ એટલો વધારે હતો કે પોલીસ છાવણીમાં રૂપાંતર પામેલી કચેરી પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જય ભીમના નારા લગાવી ન્યાયની માંગણી કરી હતી.
કોલેજ તંત્રની ભૂમિકા સામે સવાલો
આટલી મોટી દુર્ઘટના ઘટવા છતાં હજુ સુધી કોલેજ પ્રશાસન કે જવાબદાર સ્ટાફ સામે કોઈ નક્કર કાયદેસરની કાર્યવાહી કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જેને લઈને વહીવટી તંત્ર (Administration) ની નિષ્પક્ષતા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું કોઈના દબાણમાં આવીને પોલીસ કાર્યવાહીમાં ઢીલ મૂકી રહી છે?
આ પણ વાંચોઃ Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?
DYSP કક્ષાની તપાસની માંગણી
પરિવાર અને સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે આ કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી તેની તપાસ DYSP (Deputy Superintendent of Police) કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે. સામાન્ય પોલીસ તપાસમાં તથ્યો દબાઈ જવાની ભીતિ સેવાતા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પ્રબળ બની છે.
આંદોલનની ચીમકી
જો પોલીસ તંત્ર આ મામલે પક્ષપાતભર્યું વલણ રાખશે અથવા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરશે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે. નિર્દોષ વિદ્યાર્થીના જીવ ગુમાવ્યા બાદ ન્યાયની આ લડાઈ હવે માત્ર એક પરિવાર પૂરતી મર્યાદિત ન રહેતા લોક આક્રોશમાં ફેરવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Kheda: ભણતરના નામે જોખમ! ખંભાલી શાળામાં વિદ્યાર્થીને ટાંકી સાફ કરાવતાં હાથમાં ફ્રેક્ચર!


