JDUના નેતા લલ્લન સિંહના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો થતા નોંધાઇ ફરિયાદ
- Lalan Singh controversy: બિહારમાં JDUના નેતા લલ્લન સિંહે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- વિવાદાસ્પદ નિવેદન બાદ હોબાળો સર્જાતા નોંધાઇ ફરિયાદ
- નેતા લલ્લન સિંહના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો થયો વાયરલ
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા, કેન્દ્રીય મંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા રાજીવ રંજન સિંહ 'લલ્લન'ના વિવાદાસ્પદ નિવેદનથી મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. મોકામામાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા એક ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કથિત રીતે એનડીએના સમર્થકોને મતદાનના દિવસે વિપક્ષી મતદારોને ડરાવવા અથવા તેમને મતદાન કરવાથી રોકવા માટે કહી રહ્યા છે. આ નિવેદન પર રાજકીય હોબાળો મચ્યા બાદ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
Lalan Singh controversy: લલ્લન સિંહે સામે ચૂંટણી પંચે કરી કાર્યવાહી
નોંધનીય છે કે પટના જિલ્લા વહીવટીતંત્રે આ મામલે મંગળવારે લલ્લન સિંહ વિરુદ્ધ FIR દાખલ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે વીડિયો સર્વેલન્સ ટીમ દ્વારા ફૂટેજની તપાસ કર્યા બાદ આ પગલું ભર્યું છે. આ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Indian Citizen Security Code) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ (Representation of the People Act) ની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. આ પહેલા, ચૂંટણી પ્રક્રિયાના ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચે લલ્લન સિંહને નોટિસ પણ ફટકારીને ખુલાસો માંગ્યો હતો.
Ahead of the Bihar elections, an FIR was registered against Union Minister Lalan Singh alias Rajiv Ranjan Singh after a video surfaced of him saying that Opposition leaders should not be allowed to step out of their houses on election day in Bihar.
(Source: District… pic.twitter.com/7R7CmlTfMX
— ANI (@ANI) November 4, 2025
Lalan Singh controversy: લલ્લન સિંહના વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ
વિવાદના મૂળમાં રહેલું નિવેદન વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે, જેમાં લલ્લન સિંહ કથિત રીતે કહી રહ્યા છે કે, "કેટલાક લોકો છે, જેમને મતદાનના દિવસે ઘરની બહાર ન નીકળવા દેવા જોઈએ. તેમને તેમના ઘરોમાં બંધ કરી દો. અને જો તેઓ વધારે આજીજી કરે તો તેમને તમારી સાથે લઈ જઈને મતદાન કરાવો અને પછી ઘરે મોકલી દો." જોકે, આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
केंद्रीय मंत्री ललन सिंह चुनाव आयोग की छाती पर बुलडोज़र चढ़ाते हुए कह रहे कि गरीबों को वोटिंग के दिन घर से निकलने नहीं देना है! घर में बंद कर देना है, अगर ज्यादा हाथ पैर जोड़ेगा तो अपने साथ ले जा कर वोट गिराने देना है।कहाँ है मरा हुआ आयोग? pic.twitter.com/BQRMQpAW3H
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 4, 2025
વિપક્ષી પાર્ટીઓએ આ નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો છે. આરજેડી (RJD) એ 'X' પર પોસ્ટ કરીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેમાં લખ્યું છે કે "કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ ચૂંટણી પંચની છાતી પર બુલડોઝર ચલાવતા કહી રહ્યા છે કે ગરીબોને વોટિંગના દિવસે ઘરમાંથી નીકળવા દેવાના નથી! ઘર માં બંધ કરી દેવાના છે, જો વધારે હાથ-પગ જોડે તો પોતાની સાથે લઈ જઈને વોટ ગિરાવવા દેવાનો છે. ક્યાં છે મરેલું આયોગ?" કોંગ્રેસે પણ લલ્લન સિંહનો વીડિયો શેર કરીને ભાજપ-જેડીયુ પર ચૂંટણી પ્રક્રિયામાં ગુંડાગીરી કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: DGCA એર ટિકિટના રિફંડ નિયમોમાં કરશે મોટા ફેરફાર, બુકિંગના 48 કલાકની અંદર એર ટિકિટ રદ કરવા પર કોઇ ચાર્જ નહીં


