Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં 3 મોટા હુમલાનો આરોપી તડપી-તડપીને મર્યો, અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી કરી હત્યા

લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. તે ભારતમાં ત્રણ આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો. તે મુખ્યત્વે જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો હતો.
ભારતમાં 3 મોટા હુમલાનો આરોપી તડપી તડપીને મર્યો  અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી કરી હત્યા
Advertisement
  • ભારતમાં 3 મોટા હુમલાનો આરોપી તડપી-તડપીને મર્યો
  • પાક.માં લશ્કર આતંકી સૈફુલ્લાહને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
  • સિંધમાં માટલી ફાળકારા ચોક પાસે ગોળી મારીને હત્યા
  • 2006માં RSS મુખ્યાલય પર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. તે લાંબા સમયથી નેપાળથી પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. જોકે, હાલમાં તે સિંધ પ્રાંતના બદીન અને હૈદરાબાદમાં લશ્કર-એ-તૈયબાની ભરતી અને નાણાંકીય વ્યવસ્થા માટે જવાબદાર હતો. તે રઝાઉલ્લાહના નામથી છુપાઈને રહેતો હતો.

સૈફુલ્લાહ ભારતમાં કયા હુમલામાં સામેલ હતો?

  • 2006 માં મહારાષ્ટ્રના નાગપુરમાં RSS મુખ્યાલય પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આતંકવાદીઓ પોલીસ યુનિફોર્મ પહેરીને એમ્બેસેડર કારમાં આવ્યા હતા. જોકે, તેઓ હુમલો કરે તે પહેલાં જ પોલીસે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ લોકો પાસેથી AK-56 રાઈફલ, હેન્ડ ગ્રેનેડ અને RDX મળી આવ્યા હતા.
  • 2008 માં, ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત CRPF કેમ્પ પર હુમલો થયો હતો. આ હુમલામાં સાત સૈનિકો શહીદ થયા હતા. આ કેસમાં NIAએ ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.
  • 2005 માં બેંગ્લોરમાં આતંકવાદી હુમલો થયો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના એક ઓડિટોરિયમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાંથી બહાર નીકળતા લોકો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં એક પ્રોફેસરનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ RCP સિંહની પાર્ટી પ્રશાંત કિશોરની પાર્ટી 'જન સૂરજ'માં ભળી ગઈ, કરી દીધી મોટી જાહેરાત

Advertisement

સૈફુલ્લાહ ખાલિદ કોણ હતો?
સૈફુલ્લા ખાલિદ લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હતો. લશ્કર-એ-તૈયબાએ ભારતમાં હુમલાની તૈયારી કરવાનું કામ સોંપ્યું હતું. જે પછી, તેણે ઘણા વર્ષો સુધી નેપાળમાં એક ઠેકાણું સ્થાપ્યું અને ત્યાંથી ભારતમાં સતત આતંકવાદી હુમલાઓ કરતો રહ્યો. પરંતુ જ્યારે ભારતીય ગુપ્તચર એજન્સીઓને તેના વિશે માહિતી મળી, ત્યારે તે નેપાળથી ભાગી ગયો અને પાકિસ્તાનમાં છુપાઈ ગયો. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો.

Advertisement

આ પણ વાંચોઃ Operation Sindoor : યુદ્ધ વિરામ ભંગનું સ્થળ નેસ્તોનાબૂદ કરાયું, ભારતીય સેનાએ નવો વીડિયો કર્યો જાહેર

Tags :
Advertisement

.

×