ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lawrence Bishnoi : અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈએ કરી અરજી, કહ્યું - 'મને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે...

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે કે તેને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમની સામે હજુ સુધી કોઈ કેસ સાબિત થયો નથી અને તેઓ વિદ્યાર્થી સંઘના સમયથી જેલમાં છે, તેથી તેમને...
03:59 PM Sep 22, 2023 IST | Dhruv Parmar
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે કે તેને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમની સામે હજુ સુધી કોઈ કેસ સાબિત થયો નથી અને તેઓ વિદ્યાર્થી સંઘના સમયથી જેલમાં છે, તેથી તેમને...

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે કે તેને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમની સામે હજુ સુધી કોઈ કેસ સાબિત થયો નથી અને તેઓ વિદ્યાર્થી સંઘના સમયથી જેલમાં છે, તેથી તેમને ગેંગસ્ટર કે આતંકવાદી કહેવું ખોટું હશે. જો કે આ મામલે હજુ સુધી સરકાર કે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સરકારી વકીલે 25 સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો છે.

વકીલે કેનેડામાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ફેસબુક એકાઉન્ટના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. લોરેન્સ બિશ્નોઈના વકીલ આનંદ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઈના નામે 150થી વધુ ફેસબુક એકાઉન્ટ છે. એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટે કહ્યું કે હવે 800 રૂપિયામાં એકાઉન્ટ વેરિફિકેશન કરી શકાશે, જેલમાં હોય તે વ્યક્તિ કોઈની હત્યા કેવી રીતે કરી શકે. આ તમામ દાવા ખોટા છે અને જો લોરેન્સને જેલમાં અન્ય કોઈ સુવિધા આપવામાં આવી રહી હોય તો પોલીસ પ્રશાસને તેના વિશે સત્તાવાર નિવેદન આપવું જોઈએ. જો આ વાત સાચી હોય તો આવા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ.

તમને જણાવી દઈએ કે ભારતમાંથી ફરાર ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખાની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. આ ગોળીબાર વિનીપેગ શહેરમાં થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ સુખાના ઘરમાં ઘૂસીને તેના માથામાં નવ ગોળી મારી હતી. આ કેસ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હત્યાની જવાબદારી કેનેડાથી 10,570 કિલોમીટર દૂર દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. લોરેન્સ ગેંગે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી હતી. આ બે હત્યાઓ પાછળનું કારણ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ વચ્ચેનું લોહિયાળ યુદ્ધ હોવાનું કહેવાય છે, જે વર્ષોથી ચાલી રહ્યું છે.

ખરેખર, લૉરેન્સ બિશ્નોઈના નામે બનાવેલા ફેસબુક પેજ પર પોસ્ટ કરીને સુખાના મૃત્યુની જવાબદારી લીધી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'હા સર, આ સુખા દુનીકે, જે બંબીહા ગ્રુપના ઈન્ચાર્જ હતા, તેની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ તેની જવાબદારી લે છે. આ નશાખોરે પોતાનું વ્યસન સંતોષવા પૈસા મેળવવા માટે ઘણા ઘરો તોડી નાખ્યા હતા.

ફેસબુક પેજ પર વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા ભાઈ ગુરલાલ બ્રારની હત્યામાં વિકી મિદુખેડાએ બહાર બેસીને જ બધું કર્યું હતું. તેણે સંદીપ નાંગલ અંબિયાની હત્યા પણ કરાવી હતી, પરંતુ હવે તેને તેના પાપોની સજા મળી રહી છે. માત્ર એક વાત કહેવા માંગુ છું કે જે થોડા બાકી છે તેઓ ગમે ત્યાં દોડી શકે છે, દુનિયાના કોઈપણ દેશમાં જઈ શકે છે. અમારી સાથે દુશ્મની કરીને તમે બચી જશો એવું ન વિચારો, સમય લાગશે પણ દરેકને સજા થશે.

આ પણ વાંચો : હિન્દુઓને ધમકી આપતા વીડિયોની આખરે કેનેડિયન સરકારે ટીકા કરી, હિન્દુ સંગઠનોએ કહ્યું ટીકા નહીં એક્શન લો

Tags :
Ahmedabad special courtGangsterGujaratLawrence Bishnoilawyer filed applicationterrorist
Next Article