Mahakumbh 2025: લોરેન પોવેલે મકરસંક્રાંતિએ શાહી સ્નાનમાં કેમ ન લગાવી ડૂબકી?
- દુનિયાભરમાંથી લાખો ભક્તો મહાકુંભ મેળામાં પહોંચ્યા
- લોરેન પોવેલેએ શાહી સ્નાન ડૂબકી લગાવી હતી?
- લોરેન પોવેલ સ્વામી કૈલાશાનંદ ગિરિના શિબિરમાં રોકાયા
Mahakumbh : દેશ અને દુનિયાભરમાંથી લાખો ભક્તો મહાકુંભ(Mahakumbh)ના મેળામાં પહોંચ્યા છે. એપલના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ (Laurene Powell)પણ મહાકુંભ પહોંચ્યા છે. શું મકરસંક્રાંતિના પ્રસંગે શાહી સ્નાન દરમિયાન લોરેન પોવેલે પણ સંગમમાં ડૂબકી લગાવી હતી? આ અંગેની માહિતી સામે આવી છે. લોરેન પોવેલ સ્વામી કૈલાશાનંદ ગિરિના શિબિરમાં રોકાયા છે. સ્વામી કૈલાશાનંદ ગિરિ નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર છે અને નિરંજન પીઠાધીશ્વર છે. સ્વામી કૈલાશાનંદે જણાવ્યું કે લોરેન પોવેલને કંઈક સમસ્યા છે. આ કારણોસર તેમણે શાહી સ્નાન દરમિયાન સ્નાન ન કર્યું.
કેમ ગયા નહી શાહી સ્નાનમાં ?
સ્વામી કૈલાશાનંદ ગિરીએ લોરેલ પોવેલ વિશે જણાવ્યું કે તેઓ ક્યારેય આટલી ભીડમાં ગયા નથી. તે અહીં કેમ્પમાં છે. તેના હાથમાં કંઈક એલર્જી છે. તેમણે વધુમાં કહ્યું કે લોરેન પોવેલ ખૂબ જ સરળ સ્વભાવના છે. સ્વામી કૈલાશાનંદે આગળ કહ્યું કે તેમના સ્નાન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે તે પૂજા માટે અમારી સાથે રહી હતી. રાત્રિ પ્રાર્થનામાં પણ સાથે જ હતી. હવન વગેરે સમયે પણ તે આપણી સાથે રહે છે. અમારા કેમ્પમાં રહે છે.
#WATCH | Prayagraj, UP | Laurene Powell Jobs, wife of the late Apple co-founder Steve Jobs reached Spiritual leader Swami Kailashanand Giri Ji Maharaj's Ashram pic.twitter.com/y20yu7bDSU
— ANI (@ANI) January 12, 2025
આ પણ વાંચો-Maha Kumbh : 20 દેશોના 100 વિદેશી સંતો અને મહામંડલેશ્વરો કરશે અમૃત સ્નાન
કમલા રાખ્યુ છે નામ
નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વરે વધુમાં જણાવ્યું હતું કે સનાતન પરંપરા અલૌકિક છે. દુનિયાભરના એવા લોકો જેમણે ક્યારેય આપણી પરંપરા જોઈ નથી, સમજી નથી કે જાણી નથી, તેઓ આપણી પરંપરા સાથે જોડાવા માંગે છે. ઉલ્લેખનીય છે કે લોરેન પોવેલ સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સની પત્ની છે. તેણીએ સનાતન ધર્મમાં શ્રદ્ધા દર્શાવી છે અને મહાકુંભમાં ભાગ લેવા આવી છે. અહીં તેમણે સ્વામી કૈલાશાનંદ ગિરિને પોતાના ગુરુ બનાવ્યા છે. લોરેન અહીં કલ્પવાસ પણ કરશે. સ્વામી કૈલાશાનંદે લોરેનને કમલા નામ આપ્યું છે અને પોતાનું ગોત્ર પણ આપ્યું છે.
આ પણ વાંચો-Maha Kumbh: અમૃતસ્નાન માટે સમય સૂચી જાહેર,બનશે 4 વર્લ્ડ રેકોર્ડ
વિવિધ સ્નાનઘાટો પર પવિત્ર ડૂબકી પણ લગાવી
ઉલ્લેખનીય છે કે આ વખતે શાહી સ્નાનને અમૃત સ્નાન નામ આપવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે સંગમ ખાતે પહેલું અમૃત સ્નાન થઈ રહ્યું છે. આમાં બધા તેર અખાડા ક્રમિક રીતે સ્નાન કરી રહ્યા છે. આ બધા માટે ક્રમ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અસંખ્ય ભક્તો વિવિધ સ્નાનઘાટો પર પવિત્ર ડૂબકી પણ લગાવી રહ્યા છે.