Mahakumbh: શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું, હેલિકોપ્ટરમાંથી ભક્તો પર પુષ્પવર્ષા
- મહાકુંભમાં ગઈકાલે મોડી રાત્રે નાસભાગ બાદ સ્થિતિ કાબૂમાં
- તેમજ સંગમ ઘાટ પર સ્થગિત કરાયેલુ અમૃત સ્નાન ફરી શરૂ
- દેશના જગદગુરૂ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું છે
મહાકુંભમાં ગઈકાલે મોડી રાત્રે નાસભાગ બાદ સ્થિતિ કાબૂમાં આવી હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે. તેમજ સંગમ ઘાટ પર સ્થગિત કરાયેલુ અમૃત સ્નાન ફરી શરૂ થયુ છે. દેશના જગદગુરૂ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું છે. સંગમ તરફ જઈ રહેલા અખાડાઓ, સાધુ-સંતો પર પુષ્પવર્ષા થઈ રહી છે. એક પછી એક 13 અખાડા ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. હેલિકોપ્ટર દ્વારા સાધુ-સંતો પર પુષ્પવર્ષા કરાઈ હતી.
Prayagraj Mahakumbh । ત્રણ શંકરાચાર્યોનું સંગમમાં સ્નાન । Gujarat First#Prayagraj #PrayagrajMahakumbh2025 #PrayagrajMahakumbh #KumbhMela2025 #Kumbh #kumbh2025 #gujaratfirst pic.twitter.com/Njev9UpXfE
— Gujarat First (@GujaratFirst) January 29, 2025
જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
મહાકુંભમાં સ્નાન કરતાં પહેલાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, 'દેશના ત્રણેય શંકરાચાર્ય આજે અહીં પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે. અમે જનતા માટે આશીર્વાદનો ધોધ વહાવી રહ્યા છીએ.' મૌની અમાસ નિમિત્તે પાંચ કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 20 કરોડ લોકોએ ગંગામાં સ્નાન કર્યું છે.
જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશેઃ શંકરાચાર્ય
નાસભાગની ઘટના અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, 'બુધવારે (29 જાન્યુઆરી) મોડી રાત્રે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે સૌ દુઃખી છે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે સાવચેત રહેવું જોઈએ. હું ભક્તોને ધીરજ રાખવા અને કુંભ ક્ષેત્રમાં વિવિધ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા અપીલ કરું છું. એવી કોઈ ચોક્કસ જગ્યા નથી જ્યાં ભક્તોએ સ્નાન કરવા માટે ભેગા થવું જોઈએ. એક જ જગ્યાએ સ્નાન કરીએ તેવો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી. જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે.'
લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી: સ્વામી કૈલાશાનંદ
આધ્યાત્મિક નેતા સ્વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે, 'આજે અમે ગંગા પૂજન કર્યું. લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી. હું ઉત્તરપ્રદેશના વહીવટીતંત્ર અને મુખ્યમંત્રીનો 'સ્નાન' માટે કરેલી બધી વ્યવસ્થા માટે આભાર માનું છું.'
આ પણ વાંચો: Mahakumbh: પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા પહોંચ્યા