Maharashtra Election : એકનાથ શિંદેનો મેગા પ્લાન, આદિત્ય ઠાકરે સામે આ દિગ્ગજ નેતાને મળશે ટિકિટ
- Maharashtra માં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં
- તમામ પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે
- મુંબઈની વરલી બેઠક માટેનો મુકાબલો ઘણો રસપ્રદ બનશે
મહારાષ્ટ્ર (Maharashtra)માં આગામી વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Election) ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ચૂંટણી (Maharashtra Election)ની તૈયારીઓ વચ્ચે મુંબઈની વરલી બેઠક માટેનો મુકાબલો ઘણો રસપ્રદ બની ગયો છે. એકનાથ શિંદેની પાર્ટી શિવસેના પોતાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાને આ બેઠક પરથી ઉતારી શકે છે. તમને જણાવી દઈએ કે શિવસેના UBT ચીફ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી સીટથી ચૂંટણી (Maharashtra Election) લડી રહ્યા છે.
મિલિંદ દેવરાએ પણ સંકેતો આપ્યા હતા...
શિવસેનાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ પણ વરલી બેઠક પરથી આદિત્ય ઠાકરે સામે ચૂંટણી (Maharashtra Election) લડવાનો સંકેત આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિલિંદ દેવરાની ઉમેદવારી શુક્રવારે જ જાહેર થઈ શકે છે. એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોની બીજી યાદી આજે મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે. શિંદે શિવસેના મહાગઠબંધનમાં લગભગ 80 બેઠકો પર ચૂંટણી (Maharashtra Election) લડી શકે છે.
આ પણ વાંચો : NDA સરકારની નીતિઓ નિષ્ફળ, Jammu and Kashmir માં આતંકીઓ ફરી બેફામ - Rahul Gandhi
મિલિંદ દેવરા ચૂંટણી મંચ પર આવ્યા હતા...
મિલિંદ દેવરાએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મિલિંદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળ છે. કોંગ્રેસ પાર્ટી દેશ માટે કેન્દ્રવાદી એજન્ડા રજૂ કરતી હતી. દુઃખની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી આજે એક ચરમપંથી બની ગઈ છે. જે રીતે શિંદે સાહેબ આજે મુંબઈ અને મહારાષ્ટ્ર (Maharashtra)માં બધાને સાથે લઈ જઈ રહ્યા છે. તેમની કાર્યશૈલી જોઈને હું શિંદે સાહેબના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયો. મિલિંદે કહ્યું હતું કે, આજે મોદીજી રાષ્ટ્રીય સ્તરે વિઝન આપી રહ્યા છે અને શિંદે સાહેબ મહારાષ્ટ્ર (Maharashtra)માં વિઝન આપી રહ્યા છે. યુવા પેઢીએ મોદીજીને સતત ત્રણ વખત જીતાડ્યા છે.
આ પણ વાંચો : Ratan Tata નો પ્રિય શ્વાન ટીટો 10 હજાર કરોડ રૂપિયાનો માલિક બન્યો