ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahisagar : અજંતા એનર્જી હાઇડ્રો પાવર પ્લાન્ટમાં દુર્ઘટના : પાંચ યુવકો ડૂબવાની ઘટનામાં રેસ્ક્યૂ ઓપરેશન યથાવત, શિક્ષણ મંત્રીએ લીધી સમીક્ષા

Mahisagar હાઇડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના : પાંચ યુવકો લાપતા, રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણ
07:25 PM Sep 05, 2025 IST | Mujahid Tunvar
Mahisagar હાઇડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના : પાંચ યુવકો લાપતા, રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણ

મહીસાગર : મહીસાગર ( Mahisagar ) જિલ્લાના દોલતપુરા વિયર પર આવેલા અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (AEPL)ના 12 મેગાવોટના હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ગુરુવારે બપોરે થયેલી દુર્ઘટનામાં પાંચ યુવકો ડૂબી ગયા હોવાની ભીતિ છે. આ ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન 24 કલાકથી વધુ સમયથી ચાલુ હોવા છતાં NDRF અને SDRF ટીમોને હજુ સુધી સફળતા મળી નથી. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવએ ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી અને લાપતા યુવકોના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે.

આ દુર્ઘટના 4 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને મહી નદીનું પાણી અચાનક હાઇડ્રો પાવર પ્લાન્ટના વેલમાં ઘૂસી ગયું. આ ઘટનામાં 15 કામદારો મશીનરીના સમારકામ માટે પ્લાન્ટની અંદર હતા, જેમાંથી 10 કામદારો બચી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, પાંચ કામદારો—શૈલેષ રાઈજી મચ્છી, શૈલેષ રમણ મચ્છી, ભરત આખમા પદરિયા, અરવિંદ ડામોર અને એક વાયરમેન નરેશ—લાપતા છે. આ તમામ AEPLના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારો હતા.

આ પણ વાંચો- બરડા-ઘેડ પંથક ના ₹1800 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ, પાલ આંબલિયા સામે બાવળીયા-મોઢવાડિયા વરસ્યા

રેસ્ક્યૂ ઓપરેશન અને વહીવટી પગલાં

NDRF અને SDRFની ટીમો ગાંધીનગરથી ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું છે. વડોદરાથી લાવવામાં આવેલા કેમેરા રોબર્ટની મદદથી પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ નદીનું ઊંચું પાણી અને મજબૂત પ્રવાહ રેસ્ક્યૂ કામગીરીમાં અડચણ બની રહ્યા છે. મહીસાગરના જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન પણ ઘટનાસ્થળે હાજરી આપીને રેસ્ક્યૂ ઓપરેશનમાં સલાહ-સૂચન આપ્યા હતા.

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે લાપતા યુવકોના પરિવારજનોને મળીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે સરકાર દરેક સંભવિત પ્રયાસ કરી રહી છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને વહીવટી તંત્રને સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવા જણાવ્યું.

પોલીસનું નિવેદન

મહીસાગરના પોલીસ અધિક્ષક સફીન હસને જણાવ્યું, "પાણીનું પ્લાન્ટમાં ઘૂસવું એ એક અકસ્માત હતો. અમે ડેમ નિષ્ણાતોની મદદથી તપાસ કરીશું કે આ દુર્ઘટનાનું કારણ શું હતું. જો કોઈ બેદરકારી જણાશે તો FIR નોંધવામાં આવશે." તેમણે ઉમેર્યું કે પ્લાન્ટના અન્ય સ્ટાફના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને ઓન-સાઇટ કેમેરાનો ઉપયોગ કરીને વધુ લોકો ફસાયેલા છે કે કેમ તેની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો-ચોટીલામાં કરસનબાપુ ભાદરકાનો Kejriwal પર આકરો પ્રહાર : “આંસુઓનો સોદાગર ખેડૂતોની ઢાલ બનાવે છે”

Tags :
#AjantaEnergy#DrowningIncident#GujaratBreaking#HydroPower#Kuberdindor#MahisagarNews#RajpalsinhJadavgujaratfirstnewsKadanaDamNDRFRescueOperationSDRF
Next Article