કન્નૌજ રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત, અનેક કામદારો કચડાયા, 5નો આબાદ બચાવ
- અકસ્માત બાદ સ્ટેશન પર અફડાતફડી મચી ગઈ
- રેલવે સ્ટેશન પર બાંધકામ હેઠળનો અડધો ભાગ તૂટ્યો
- લેંટર તૂટી પડવાને કારણે ઘણા લોકો કાટમાળ નીચે કચડાયા
કન્નૌજ રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો. આ અકસ્માત બાદ સ્ટેશન પર અફડાતફડી મચી ગઈ હતી. રેલવે સ્ટેશન પર બાંધકામ હેઠળનો અડધો ભાગ તૂટી પડ્યો. લેંટર તૂટી પડવાને કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો. આ અકસ્માત બાદ સ્ટેશન પર અફડાતફડી મચી ગઈ હતી. રેલ્વે સ્ટેશન પર બાંધકામ હેઠળનો અડધો ભાગ તૂટી પડ્યો. લેંટર તૂટી પડવાને કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળ નીચેથી 6 લોકોને બચાવવામાં આવ્યા છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, કરોડોના ખર્ચે સ્ટેશન પર વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. જે દરમિયાન આ અકસ્માત થયો. અકસ્માત બાદ સ્ટેશન પર હોબાળો મચી ગયો હતો.
ઘટનાસ્થળે હાજર સ્થાનિક વહીવટીતંત્ર કાટમાળ નીચે દટાયેલા કામદારોને બચાવવાનું કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 6 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે JCB ની મદદથી અન્ય દટાયેલા કામદારોને કાઢવાનું કામ ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રેલવેના ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. કાટમાળ નીચે દટાઈ જવાથી ઘાયલ થયેલા કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ સમાજ કલ્યાણ રાજ્યમંત્રી અસીમ અરુણ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
ઘટનાસ્થળે હાજર અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતમાં ઘણા કામદારો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે, તેમની શોધ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટીફિકેશન કાર્ય દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા માટે JCB ની મદદ લેવામાં આવી રહી છે જેથી લોકોને ઝડપથી બહાર કાઢી શકાય. વહીવટીતંત્રે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: રામ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે: PM મોદી


