Mehsana : શહેરમાં જર્જરિત મકાનોને 7 દિવસમાં ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ, ચોમાસું નજીક આવતા લેવાયો નિર્ણય
Mehsana મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે જેમાં શહેરમાં જર્જરિત મકાનોને મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ અને 7 દિવસમાં મકાન ખાલી કરવા અથવા ઉતારી લેવા આદેશ આપવામાં આવ્યો છે. નોટિસની મુદત પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા કરશે કડક કાર્યવાહી.
Advertisement
Mehsana : ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વસતા નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાનોને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

