Gandhinagar : રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, હિટવેવની આગાહીને પગલે સ્કૂલોને શિક્ષણ વિભાગે આપી સૂચના
- રાજ્યમાં વધતી ગરમીને લઈને શિક્ષણ વિભાગને સૂચના
- શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પરિપત્ર કર્યો જાહેર
- ગરમીના કારણે શાળાઓ સમયમાં કરી શકે છે ફેરફાર
- પ્રફૂલ પાનસેરીયાએ હિટવેવને લઈને આપ્યું નિવેદન
રાજ્યમાં વધતી જતી ગરમીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પરિપત્ર જાહેર કર્યો છે. ગરમીનાં કારણે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકે છે. તેમજ ઉનાળાની ઋતુને લઈ શાળાઓ દ્વારા ક્લાસરૂમની બહારની પ્રવૃતિઓ ટાળવાનું પણ સૂચન કર્યું છે.રાજ્યાં ગરમી અને હિટવેવને લઈ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહીનાં આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને એક પરિપત્ર કર્યો છે. જેમાં ગરમી અને હિટવેવની સ્થિતિને જોતા પ્રાથમિક શાળાઓ પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકે છે.
હીટવેવને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન
બાળકો હીટવેવનો શિકાર ન થાય તેની કાળજી રાખવી: શિક્ષણ મંત્રી
શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી: શિક્ષણ મંત્રી
જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે @prafulpbjp #Gujarat #Surat #PrafulPansheriya… pic.twitter.com/ZaKdhNwARS— Gujarat First (@GujaratFirst) April 5, 2025
આ પણ વાંચોઃ Gun Licence Scam : 50 જેટલાં પરવાના ધારકોની યાદી તૈયાર, એટીએસ અને ક્રાઈમ બ્રાંચ કરશે મોટી કાર્યવાહી
સ્કૂલો શાળાનાં સમયમાં ફેરફાર કરી શકશેઃ પ્રફૂલ પાનસેરિયા
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ ખૂબ વધશે તેવી આગાહી કરી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ભાગરૂપે હવામાન વિભાગે જ્યારે શિક્ષણ વિભાગને જ્યારે આ માહિતી આપી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં તમામ જીલ્લા શિક્ષણાધિકારી તેમજ શાળાને સમયનાં ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે. કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. ઉનાળામાં સવારની પ્રવૃતિ બાદ કરતા ઉનાળાનાં આ ગરમીનાં દિવસોમાં બહારની ગ્રાઉન્ડની અંદરની પ્રવૃતિ ન કરે. તેમજ વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, પાણી ઓછું ન પીવે. તેમજ દરેક શિક્ષકો દ્વારા પાણી પીવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવે. તેમજ શિક્ષક બાળકને શરીર માટે પાણીનું શું મહત્વ છે તે પણ જણાવે.
આ પણ વાંચોઃ Surat Rape Case: દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત જાહેર, 8 વર્ષે પીડીતાને મળ્યો ન્યાય
દરેક વાલી અને શિક્ષકો જાગૃત રહેઃ પ્રફુલ પાનસેરિયા
હીટવેવથી ડીહાઈડ્રેશનની સમસ્યાઓ થતી હોય છે. ત્યારે તમામ પ્રકારની સાવચેતી રૂપે તમામ શાળાઓ વર્તે અને સમય પ્રમાણે પોતાની શાળાનો સમય ફેરવવા માટે પોતે વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકે. આ તમામ પ્રાથમિક શાળાઓ માટે વાત કરવામાં આવી છે. તેમજ બાળકોનાં હિત માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. તેમજ દરેક વાલી અને શિક્ષકો જાગૃત રહે અને બાળકને વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડવામાં આવે. તેવો સર્વેએ પ્રયાસ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ Vadodra: કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લીધા, ભાગવા જતા પકડી પોલીસને સોંપ્યો