Gandhinagar: અંબાલાલ પટેલની ગુજરાતનાં રાજકારણ અંગે ચોંકાવનારી આગાહી, કહ્યું- મે માસ અંત પહેલા..!
- હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજકારણ અંગે કરી આગાહી
- જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હાલ પંચગ્રહી યોગ બન્યો છે: અંબાલાલ
- રાજ્ય સરકારે જ્યોતિષના આધારે સમુદ્રી સીમાઓથી સાચવવું જરૂરી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજકારણ અંગે મોટી આગાહી કરી છે. જેમાં આગામી સમયમાં કેન્દ્રમાં દિલ્લી સુધી રાજકીય રીતે નવો ઘટનાક્રમ સર્જાવાનાં સંકેત આપ્યા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજકીય મોટી આગાહી કરતા રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અંબાલાલ શાસ્ત્રીએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હાલ પંચગ્રહી યોગ બન્યો છે. જેની અસર અલગ અલગ ક્ષેત્રમાં થતી હોય છે. ગુજરાતનાં રાજકારણમાં આગાહી સમયમાં મોટી અસર થવાની સંભાવના છે. તેમજ મે માસના અંત પહેલા નવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજકારણ અંગે કરી આગાહી
Astrology પ્રમાણે હાલ પંચગ્રહી યોગ બન્યો છે: Ambalal Patel
"Gujarat માં મે માસ અંત પહેલા નવો ઘટનાક્રમ સર્જાઈ શકે"#Gujarat #PoliticalNews #AmbalalPatel #Forecast #Astrology #Delhi #Politics #GujaratFirst pic.twitter.com/WzcuUQ9Kly— Gujarat First (@GujaratFirst) April 11, 2025
દેશ સ્તરે બલુચિસ્તાન અને પાકિસ્તાન ની સરહદ માં સાચવવું પડે
તેમજ આગામી તા. 19 મે પહેલા રાજ્ય રાજકારણની દ્રષ્ટ્રિએ અવનવું બની શકે છે. તેમજ રાજ્ય સરકાર જ્યોતિષના આધારે સમુદ્ગી સીમાઓથી સાચવવી જરૂરી છે. દેશ સ્તરે બલુચિસ્તાન અને પાકિસ્તાનની સરહદમાં સાચવવું પડશે. તેમજ કેન્દ્રમાં પણ પાકિસ્તાનથી લઈ ઉત્તર પૂર્વીય ભારત તરફથી બાંગ્લાદેશ સરહદો સુધી મોટી ઘટના બની શકે છે. આ યોગના કારણે કેન્દ્રમાં દિલ્લી સુધી રાજકીય રીતે નવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે.
મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન રહેશે
મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન રહેશે. તથા ઉત્તર, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન 40-41 ડિગ્રી રહેશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 એપ્રિલથી ગરમીમાં ફરી એકવાર વધારો થશે. રાજ્યમાં 10 મે બાદ પ્રિ-મોન્સૂન એક્ટીવિટી શરૂ થશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને દરિયાકિનારે પવન ફૂંકાશે.
આ પણ વાંચોઃ Surat: હેપ્પી એન્કલેવમાં લાગેલી આગ કાબૂમાં, 18 થી 20 લોકોનું કરાયું રેસ્ક્યું
હાલ રાજ્યના અનેક જિલ્લામાં ગરમીમાં આંશિક રાહત મળી છે
હાલ રાજ્યના અનેક જિલ્લામાં ગરમીમાં આંશિક રાહત મળી છે. ત્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.08 ડિગ્રી, વડોદરામાં 40.08 ડિગ્રી, ભાવનગરમાં 39.2 ડિગ્રી, ભૂજમાં 40.2 ડિગ્રી તથા દાહોદમાં 39.1 ડિગ્રી સાથે દમણમાં 35.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડાંગમાં 39.0 ડિગ્રી અને ડીસામાં 41.8 ડિગ્રી તથા દીવમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચોઃ Ahmedabad:ખોખરા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે, જુઓ વીડિયો
તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અપીલ કરાઇ
દ્વારકામાં 31.0 ડિગ્રી તથા ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, જામનગરમાં 34.5 ડિગ્રી અને કંડલામાં 39.9 ડિગ્રી તથા નલિયામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં ઓખામાં 32.4 ડિગ્રી તથા પોરબંદરમાં 37.2 ડિગ્રી, રાજકોટમાં 43.0 ડિગ્રી, સુરતમાં 34.4 ડિગ્રી, સુરત ગ્રામ્યમાં 33.6 ડિગ્રી તથા વેરાવળમાં 34.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે કચ્છમાં ભીષણ ગરમીને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ભુજમાં 66 વર્ષીય બચુભા જાડેજાનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેમજ મમુઆરા ગામે 38 વર્ષીય સિરાજઉદીન રહેમાનનું પણ ગરમીને કારણે લુ લાગતા મોત નિપજયુ છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અપીલ કરાઇ છે.
આ પણ વાંચોઃ Rajkot: કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી ધમકી, સર્ચ ઓપરેશન શરૂ