ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Parliament : આજથી મોદી સરકારનું અંતિમ સંસદનું સત્ર, આવતીકાલે વચગાળાનું બજેટ

Parliament : સંસદ (Parliament)નું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સંસદ (Parliament) નું બજેટ સત્ર આજે એટલે કે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ...
08:07 AM Jan 31, 2024 IST | Vipul Pandya
Parliament : સંસદ (Parliament)નું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સંસદ (Parliament) નું બજેટ સત્ર આજે એટલે કે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ...
BUDGET_SESSION

Parliament : સંસદ (Parliament)નું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સંસદ (Parliament) નું બજેટ સત્ર આજે એટલે કે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે શરૂ થશે. વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. દરમિયાન ગત સત્રમાં સસ્પેન્ડ કરાયેલા 146 સાંસદોનું સસ્પેન્સન પરત ખેંચવામાં આવ્યું છે.

9મી ફેબ્રુઆરી સુધી ચાલશે

સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ પહેલીવાર નવી સંસદને સંબોધશે. આજે રાષ્ટ્રપતિના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. નવી સંસદમાં સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું સંબોધન થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.15 કલાકે મીડિયા સાથે વાત કરશે. 17મી લોકસભાનું 15મું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને ચૂંટણી પહેલા આ સરકારનું આ છેલ્લું સંસદ સત્ર છે. આ સત્ર દરમિયાન, 1 ફેબ્રુઆરીએ, નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશને વચગાળાનું બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત નાણાકીય બિલ સહિત ઘણા મહત્વપૂર્ણ બિલો ગૃહમાં રજૂ કરવામાં આવશે.

સર્વપક્ષીય બેઠકમાં શું થયું

રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સુરેશે કહ્યું કે પાર્ટી સત્ર દરમિયાન બેરોજગારી, મોંઘવારી, કૃષિ સંકટ અને જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરની સ્થિતિનો મુદ્દો ઉઠાવશે. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે નાણામંત્રીએ વચગાળાના બજેટમાં વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ પશ્ચિમ બંગાળની લેણી રકમનો પણ સમાવેશ કરવો જોઈએ. તેમણે કહ્યું, 'તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક મુખ્ય પ્રધાનને રાજ્યને કેન્દ્રીય લેણાંની સમયસર ફાળવણીની માગણી સાથે ધરણા પર બેસવું પડ્યું.' સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને પૂજાના સ્થળોના કાયદાને મજબૂત કરવા પગલાં લેવાની માંગ કરી. આ અધિનિયમ 15 ઓગસ્ટ 1947ના રોજ ધાર્મિક સ્થાનોને તેમની સ્થિતિ અનુસાર રૂપાંતર અને જાળવણી પર પ્રતિબંધ મૂકે છે.

શું હશે મુખ્ય એજન્ડા?

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે સીતારમણ જમ્મુ અને કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરશે, જ્યાં રાષ્ટ્રપતિ શાસન છે. જોશીએ જણાવ્યું હતું કે 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થનારી 17મી લોકસભાના આ ટૂંકા સત્રનો મુખ્ય એજન્ડા રાષ્ટ્રપતિનું સંબોધન, વચગાળાના બજેટની રજૂઆત અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેના જવાબ પર ચર્ચા છે. બેઠક પછી, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે બેઠકમાં વાતચીત "ખૂબ જ સૌહાર્દપૂર્ણ" હતી અને સરકાર આ ટૂંકા સત્ર દરમિયાન દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. જોશીએ કહ્યું કે સરકાર પાસે બજેટ સત્ર માટે કોઈ કાયદાકીય એજન્ડા નથી અને તેનું મુખ્ય ધ્યાન રાષ્ટ્રપતિના સંબોધન, આભાર પ્રસ્તાવ પર ચર્ચા, વચગાળાના બજેટની રજૂઆત અને જમ્મુ અને કાશ્મીરના બજેટ પર રહેશે. જોશીએ કહ્યું, 'તેમણે સૂચનો આપ્યા છે, પરંતુ વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર હોવાથી અમે કહ્યું છે કે, અમે તેમને આગામી સત્રમાં તક આપીશું.

કોણ સામેલ હતું

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, જનતા દળ (યુનાઈટેડ)ના રામનાથ ઠાકુર અને તેલુગુ દેશમ પાર્ટીના જયદેવ ગલ્લા સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેલા નેતાઓમાં સામેલ હતા. બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું પ્રતિનિધિત્વ કરનારા કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે તેમણે આસામમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની 'ભારત જોડો ન્યાય યાત્રા' પરના "હિંસક હુમલા" અને તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ જેવા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે CBI અને EDનો દુરુપયોગ કરી રહી છે.

દરેક સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાય છે

તમને જણાવી દઈએ કે દરેક સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવાની પરંપરા છે. સર્વપક્ષીય બેઠકમાં, વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માંગે છે તે પ્રકાશિત કરે છે. સરકાર તેમને તેના એજન્ડાની ઝલક આપે છે અને તેમના સહકાર માટે પૂછે છે.

આ પણ વાંચો----BUDGET 2024 : બજેટમાં નહીં થાય કોઈ મોટી જાહેરાત! પણ આ મુદ્દાઓ રહેશે HOT FAVORITE !

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Budget SessionNarendra Modi governmentnational newsNirmala Sitharamanopposition partyParliament
Next Article