ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi : પાનેલી ગામ પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત

Morbi ના પાનેલીમાં દુઃખદ ઘટના: પાણીના ખાડામાં ડૂબીને ત્રણ બાળકોના મોત
08:55 PM Sep 26, 2025 IST | Mujahid Tunvar
Morbi ના પાનેલીમાં દુઃખદ ઘટના: પાણીના ખાડામાં ડૂબીને ત્રણ બાળકોના મોત

મોરબી : મોરબીના ( Morbi ) પાનેલી ગામ નજીક પાણીથી ભરેલા ખાડામાં રમતા-રમતા ત્રણ બાળકો ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. મૃતક બાળકોની ઓળખ પ્રતિકા (ઉં. 5), ખુશ્બુ (ઉં. 4) અને કુલદીપ (ઉં. 6) તરીકે થઈ છે, જેઓ પરપ્રાંતીય શ્રમિક પરિવારના હતા. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે. શ્રમિક પરિવારના માથે આભ ફાટી પડ્યું છે.

મોરબીના પાનેલી ગામ નજીક આવેલા એક ખાડામાં, જે ખાણકામની પ્રવૃત્તિને કારણે બન્યો હોવાનું મનાય છે, વરસાદી પાણી ભરાઈ ગયું હતું. આ ખાડો ઊંડો હોવા છતાં તેની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી. પ્રતિકા, ખુશ્બુ અને કુલદીપ, જેઓ નજીકના ખાણ વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના બાળકો હતા, તેઓ આ ખાડાની આસપાસ રમી રહ્યા હતા. રમતા-રમતા તેઓ ખાડામાં પડી ગયા અને ડૂબી જવાને કારણે તેમનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો- અહીં હજુ પણ ગવાય છે પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા, ચાલે છે પ્રાચીન ગરબીની પરંપરા

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને શ્રમિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ બાળકોને બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. મોરબી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મૃતક બાળકોના પરિવારો પરપ્રાંતીય શ્રમિકોના છે, જેઓ મોરબીના ખાણ વિસ્તારોમાં મજૂરી કરે છે. આ પરિવારો ગરીબી અને આર્થિક તંગીનો સામનો કરે છે. આવા અનેક શ્રમિક પરિવારો છે કે, તેમના બાળકો શિક્ષણથી વંચિત રહે છે. આ ઘટનાએ શ્રમિક પરિવારોની દયનીય સ્થિતિ અને ખાણ વિસ્તારોમાં સુરક્ષાના અભાવને ઉજાગર કર્યો છે. સ્થાનિક શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે ખાણોની આસપાસ ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવું સામાન્ય છે, પરંતુ તેની આસપાસ બેરિકેડ્સ કે ચેતવણીના બોર્ડ જેવી કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી.

આ ઘટનાએ પાનેલી ગામ અને આસપાસના વિસ્તારોમાં શોક અને રોષ ફેલાવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, “આ ખાડાઓ ખાણકામની પ્રવૃત્તિઓને કારણે બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા તેની સુરક્ષા માટે કોઈ પગલાં લેવાયા નથી.” શ્રમિક સમુદાયે માંગ કરી છે કે મૃતક બાળકોના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે અને ખાણ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.

આ પણ વાંચો- Jamnagar : એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

Tags :
#MorbiChildrenDeath#PaneliPit#WorkingFamilyAccidentGujaratFirst
Next Article