Narmada News: વનકર્મી પર હુમલા કેસમાં ચૈતર વસાવા દોષિત જાહેર થતાં સાંસદ ધવલ પટેલ શું બોલ્યા?
વર્ષ 2023 ના વનકર્મી હુમલા કેસમાં ચૈતર વસાવા અને તેમના પત્નીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદાને આવકારતા વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. તેમણે ચૈતર વસાવાના અગાઉના 19 ગુનાહિત કેસો અને તાજેતરમાં એક યુવક સાથે કરેલી મારપીટનો ઉલ્લેખ કરી આ સજાને ન્યાયી ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું કે કાયદો સર્વોપરી છે.
Advertisement
Forester Attack Case Against Chaitar Vasava: વર્ષ 2023 માં વનકર્મીઓ પર ફાયરિંગ (Firing) અને માર મારવાની ઘટનામાં કોર્ટે ચુકાદો આપતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલાબેનને દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે આ સમગ્ર મામલે કડક પ્રતિક્રિયા આપી છે. સાંસદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "કાયદો હંમેશા કાયદાનું કામ કરે છે."

