ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada : સાંસદ મનસુખ વસાવાએ AAP નેતાઓ પર કર્યા મોટા આક્ષેપો, તોડ-પાણીના ગંભીર આરોપ

Narmada : નર્મદા જિલ્લામાં રાજકીય તાપમાન વધુ વધ્યું છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધા વિના AAPના વરિષ્ઠ નેતા ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ લગાવતાં સાંસદે કહ્યું કે AAPના નેતાઓ અધિકારીઓને તતડાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે.
04:00 PM Dec 07, 2025 IST | Mujahid Tunvar
Narmada : નર્મદા જિલ્લામાં રાજકીય તાપમાન વધુ વધ્યું છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધા વિના AAPના વરિષ્ઠ નેતા ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ લગાવતાં સાંસદે કહ્યું કે AAPના નેતાઓ અધિકારીઓને તતડાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે.

Narmada : નર્મદા જિલ્લામાં રાજકીય તાપમાન વધુ વધ્યું છે. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધા વિના AAPના વરિષ્ઠ નેતા ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ લગાવતાં સાંસદે કહ્યું કે AAPના નેતાઓ અધિકારીઓને તતડાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આ મિલીભગતમાં જોડાયેલા હોવાનો લગાવ્યો છે.

પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, "AAPના નેતાઓ હંમેશા કાર્યક્રમોમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવીને ખોટો હોબાળો કરે છે અને અધિકારીઓને તતડાવે છે. તેમનું મુખ્ય કામ જ મોટા તોડ કરવાનું છે. જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા માટે AAPના મોટા નેતા ગયા હતા. તેઓ ટીમો બનાવીને અધિકારીઓને દબાણમાં લઈને મોટા પાયે તોડપાણી કરે છે."

સાંસદે વધુમાં જણાવ્યું કે આ આક્ષેપો મુજબ ભાજપ અને AAPના કેટલાક નેતાઓ મળીને તોડપાણી કરે છે. "નર્મદા જિલ્લામાં AAP, ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બાબતે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે ફરિયાદ કરીશું. ભાજપના, AAPના કે અન્ય કોઈ પણ મારી સાથે ફરનારા હશે તો તેમને છોડવામાં નહીં આવે."

આ આક્ષેપો નર્મદા જિલ્લામાં ચાલી રહેલી રાજકીય ગરમાવો લાવી દીધો છે. તાજેતરમાં ડેડિયાપાડામાં વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ પર ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે વિવાદ થયો હતો, જેમાં ચૈતરે કરોડોના ખર્ચ અને અધિકારીઓના કટકીનો આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ તેને પાયાવિહીન ગણાવ્યા હતા અને કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો. ત્યારબાદ AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાને દારૂ સાથે પકડવામાં આવ્યા હતા, જેના પર મનસુખ વસાવાએ AAP પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે AAPના લોકો દારૂ વ્યવસાયમાં જોડાયેલા છે.

આ વિવાદ વધુ ગંભીર બનવાની શક્યતા છે, કારણ કે સાંસદે ફરિયાદ કરવાની જાહેરાત કરી છે. AAP તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ચૈતર વસાવા તરફથી પહેલાં જ વળતર આપવામાં આવ્યું છે કે આવા આરોપો પાયાવિહીન છે. જિલ્લામાં વિકાસ કાર્યો અને રાષ્ટ્રીય કાર્યક્રમોના ખર્ચ પર વારંવાર થતા આ વિવાદો વિકાસને અસર કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓ પણ ચિંતિત છે.

આ પણ વાંચો-  Junagadh : વાતાવરણની માઠી અસર, આ વર્ષે કેરી મોડી અને મોંઘી મળશે! 

Tags :
AAP AllegationBJP attackChaitar ResidenceGujarat PoliticsMansukh ResidenceNarmada CorruptionTodpani Scam
Next Article